શોધખોળ કરો

'પાયલટે એન્જિન ફરી શરૂ કરવાનો કર્યો હતો પ્રયાસ, એર ઇન્ડિયા અકસ્માતના અહેવાલ પર રાજીવ પ્રતાપ રૂડીની પહેલી પ્રતિક્રિયા

Air India Crash Investigation: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગે, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ દાવો કર્યો છે કે, વિમાન ટેકનિકલ રીતે ઉડાન માટે સમર્થ હતું.

Air India plane Crash Investigation:12 જૂનના  રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નો પ્રારંભિક અહેવાલ બહાર આવ્યો છે. અહેવાલ મુજબ, અકસ્માત પહેલા, પાઇલટ્સે બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયના અભાવે તેઓ તેમાં સફળ થઈ શક્યા ન હતા. હવે આ અંગે, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અને સંસદની સ્થાયી સમિતિના સભ્ય રાજીવ પ્રતાપ રૂડી (પ્રશિક્ષિત પાઇલટ) એ કહ્યું કે વિમાન તકનીકી રીતે સંપૂર્ણપણે ઠીક હતું અને ઉડાન માટે સમર્થ હતું.

તેમણે કહ્યું, "રિપોર્ટ મુજબ, વિમાનમાં કોઈ ટેકનિકલ  નહોતી. એન્જિન અને અન્ય ફ્લાઇટ સિસ્ટમ સંપૂર્ણપણે સામાન્ય હતી. પ્રારંભિક તપાસથી સ્પષ્ટ છે કે, વિમાન નિયમિતપણે ઉડાન ભરતું હતું." તેમણે કહ્યું, "વિમાન એટલી ઓછી ઊંચાઈ પર હતું કે ઓટોમેટિક FADEC સિસ્ટમ (જે એન્જિન શરૂ કરે છે) કામ કરતી ન હતી. જો વિમાન 1૦,૦૦૦ ફૂટ કે તેથી વધુ ઊંચાઈ પર હોત, તો કદાચ બંને એન્જિન ફરીથી શરૂ થયા હોત." તેમણે એમ પણ કહ્યું કે મોનિટરિંગ પાઇલટ, કેપ્ટન સબરવાલે,  રી-લાઇટની પ્રક્રિયામાં જરૂરી સ્ટેપ્સને મેમરી ચેકલિસ્ટ મુજબ સારી રીતે ફોલો ન કર્યાં હોય.

AAIB ના 15 પાનાના પ્રારંભિક અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના 15 પાનાના પ્રારંભિક અહેવાલમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. અહેવાલ મુજબ, વિમાને સવારે 8:08 વાગ્યે ઉડાન ભરી હતી અને મહત્તમ 180 નોટની ગતિ હાંસલ કરી હતી, પરંતુ આ પછી તરત જ, ફક્ત 1 સેકન્ડના તફાવત સાથે, બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો અચાનક 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં ખસી ગયા. આને કારણે, ફ્યુઅલ એન્જિન સુધી પહોંચવાનું બંધ થઈ ગયું અને બંને એન્જિનની ગતિ (N1 અને N2 રોટેશન) ઝડપથી ઘટવા લાગી.

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થયેલી વાતચીત દર્શાવે છે કે બંને પાઇલટ આ એન્જિન બંધ થવાની ઘટનાથી અજાણ હતા. અહેવાલ મુજબ, મુખ્ય પાઇલટ સુમિત સબરવાલે કો-પાઇલટ ક્લાઇવ કુંદરને પૂછ્યું, "તમે ઇંધણ કેમ બંધ કર્યું?" આના પર કો-પાઇલટે જવાબ આપ્યો, "મેં કંઈ કર્યું નથી."                

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget