શોધખોળ કરો

પંજાબમાં સિદ્ધૂ-સુનિલ નહીં પણ સોનિયાની નજીકમાં આ મહિલા નેતાને મુખ્યમંત્રીપદ અપાય એવી અટકળો, જાણો વિગત

પંજાબના મુખ્યમંત્રીપદથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા પછી કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગે અટકળો ચાલી રહી છે.

નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રીપદથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા પછી કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગે અટકળો ચાલી રહી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુ,  પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ અને કેપ્ટન અમરિન્દરસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી સુખવિંદરસિહં રંધાવા અત્યાર સુધી પ્રબળ દાવેદાર મનાતા હતા પણ હવે તેમાં અંબિકા સોનીનું નામ પણ ઉમેરાયું છે.

સોનિયા ગાંધીની અત્યંત નજીક મનાતાં અંબિકા સોનીને મુખ્યમંત્રીપદની કમાન સોંપવામાં આવે એવી શક્યતા હોવાનું કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. સોનિયા ગાંધીએ આ મુદ્દે નવજોત સિધ્ધુ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ બંને સાથે વાતચીત કરી છે. સૂત્રોનો દાવો છે કે, બંનેને અંબિકા સોનીના નામ સામે બંનેને વાંધો નથી. સુખવિંદરસિહં રંધાવાને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ કેપ્ટન અમરિન્દરસિંહનો છે પણ અંબિકા સોનીના નામ સામે એ પણ વાંધો નહીં લે.

 

મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિંહ સિધ્ધુ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે તેમણે મારી વિરૂધ્ધ વાતાવરણ ઉભુ કર્યું છે. મને મુખ્યમંત્રી તરીકે સિધ્ધુ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે સવાલ કર્યો કે, જે એક મંત્રાલય ના ચલાવી શક્યો તે આખી સરકાર શું ચલાવશે ? કેપ્ટનના મતે સિધ્ધુ મુખ્યમંત્રીપદ બનવા માટે સક્ષમ નથી. કેપ્ટન અમરિન્દરસિંહનું વલણ જોતાં હાઈકમાન્ડ કેપ્ટન અમરિન્દરસિંહને વધારે નારાજ નહીં કરવા અંબિકા સોનીને ગાદી પર બેસાડી શકે છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર કરતાં કેપ્ટને કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે વારંવાર બેઠક બોલાવીને સ્પષ્ટ કર્યું કે, તેમને મારા પર વિશ્વાસ નથી અને મારુ અપમાન કરાયું છે. રાજીનામું આપવા વિશે મેં સવારે જ નિર્ણય કરી લીધો હતો. મેં સોનિયા ગાંધી સાથે વાત કરીને મારું રાજીનામું આપ્યું છે. હું દિલ્હી ઓછો જાઉં છું અને બીજા લોકો ત્યાં વધારે જાય છે તેથી તેમણે મારા વિરૂધ્ધ ત્યાં જઈને શું વાતો કરી છે તે મને ખબર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget