શોધખોળ કરો

ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?

આ ત્રણ નવા કાયદા લાવવાનો ઉદ્દેશ્ય અંગ્રેજોના જમાનાના જૂના નિયમો અને કાયદાઓને દૂર કરવાનો અને આજની જરૂરિયાતો અનુસાર તેમની જગ્યાએ કાયદાનો અમલ કરવાનો છે.

પહેલી જૂલાઈથી ત્રણ નવા ક્રિમિનલ લૉ લાગુ થવા જઈ રહ્યા છે. આ સંદર્ભે 1860 માં રચાયેલ IPCના બદલે ભારતીય ન્યાય સંહિતા, સીઆરપીસીના બદલે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને 1872 ના ઇન્ડિયન એવિડન્સ એક્ટના બદલે ભારતીય સાક્ષ્ય સંહિતા લાગુ થશે.

આ ત્રણ નવા કાયદા લાવવાનો ઉદ્દેશ્ય અંગ્રેજોના જમાનાના જૂના નિયમો અને કાયદાઓને દૂર કરવાનો અને આજની જરૂરિયાતો અનુસાર તેમની જગ્યાએ કાયદાનો અમલ કરવાનો છે.

આ ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ ક્રિમિનલ લો સિસ્ટમમાં ઘણો બદલાવ આવશે. ઉદાહરણ તરીકે, હવે દેશમાં ગમે ત્યાં ઝીરો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ માટે વરિષ્ઠ પાસેથી પરવાનગી લેવી પડશે. હવે કેટલાક કેસમાં પોલીસ આરોપીને હાથકડી લગાવીને ધરપકડ કરી શકે છે.

હવે ગમે ત્યાં ઝીરો FIR

હવે તમે દેશમાં ગમે ત્યાં ઝીરો FIR નોંધાવી શકો છો. તેમાં કલમો પણ ઉમેરવામાં આવશે. અત્યાર સુધી ઝીરો એફઆઈઆરમાં કલમો ઉમેરવામાં આવતી નહોતી.  ઝીરો એફઆઈઆર 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે.

નવા કાયદામાં પોલીસની જવાબદારી પણ વધારવામાં આવી છે. હવે દરેક રાજ્ય સરકારે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં એક એવા પોલીસ અધિકારીની નિમણૂક કરવી પડશે, જેની કોઈપણ વ્યક્તિની ધરપકડ સંબંધિત દરેક માહિતી રાખવાની જવાબદાર હશે.

હવે પોલીસે પણ 90 દિવસમાં પીડિતાને તેના કેસ સંબંધિત તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવો પડશે. પોલીસે 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી પડશે. સંજોગોના આધારે કોર્ટ 90 દિવસનો વધુ સમય આપી શકે છે. 180 દિવસમાં એટલે કે છ મહિનામાં તપાસ પૂરી કરીને ટ્રાયલ શરૂ કરવાની રહેશે.

કોર્ટે 60 દિવસમાં આરોપો ઘડવા પડશે. સુનાવણી પૂર્ણ થયા બાદ 30 દિવસમાં નિર્ણય આપવો પડશે. ચુકાદો આપવા અને સજાની જાહેરાત કરવા માટે માત્ર 7 દિવસનો સમય આપવામાં આવશે.

ધરપકડ માટેના નિયમો શું છે?

ધરપકડના નિયમોમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 35માં નવી પેટા કલમ 7 ઉમેરવામાં આવી છે. જેના કારણે નાના ગુનેગારો અને વૃદ્ધોની ધરપકડ અંગે નિયમ બનાવવામાં આવ્યો છે.

કલમ 35(7) મુજબ, જે ગુનાઓમાં ત્રણ વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ છે તેમાં આરોપીની ધરપકડ કરતા પહેલા ડીએસપી કે તેથી વધુ રેન્કના અધિકારીની પરવાનગી લેવી પડશે. 60 વર્ષથી વધુ ઉંમરના આરોપીની ધરપકડ માટે પણ આવું જ કરવું પડશે.

જો કે નવા કાયદામાં પોલીસ કસ્ટડીને લઈને કડકાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી આરોપીને ધરપકડની તારીખથી વધુમાં વધુ 15 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી શકાતો હતો. જે બાદ કોર્ટ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે. પરંતુ હવે પોલીસ ધરપકડના 60 થી 90 દિવસમાં ગમે ત્યારે 15 દિવસની કસ્ટડી માંગી શકે છે.

હાથકડી અંગેના નિયમો શું છે?

1980માં પ્રેમશંકર શુક્લા વિરુદ્ધ દિલ્હી સરકારના કેસમાં પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કલમ 21 હેઠળ હાથકડીના ઉપયોગને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ કેદીને હાથકડી લગાવવાની જરૂર લાગે તો તેનું કારણ નોંધવું પડશે અને મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડશે.

પરંતુ હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 43(3)માં કેદીની ધરપકડ કરતી વખતે અથવા તેને કોર્ટમાં રજૂ કરતી વખતે તેને હાથકડી લગાડવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કલમ મુજબ જો કોઇ કેદી રીઢો ગુનેગાર હોય અથવા અગાઉ કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અથવા સંગઠિત અપરાધ અથવા આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય, ડ્રગ્સ, શસ્ત્રો, હત્યા, બળાત્કાર, એસિડ એટેક, નકલી નોટની તસ્કરી, માનવ તસ્કરી, બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ અથવા રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલ હોય તેને હાથકડી પહેરાવીને ધરપકડ કરી શકાય છે અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે.

ભાગેડુ ગુનેગારો સામે પણ કેસ દાખલ કરવામાં આવશે

અત્યાર સુધી ગુનેગાર કે આરોપીની સુનાવણી ત્યારે જ શરૂ થતી જ્યારે તે કોર્ટમાં હાજર રહેતો. પરંતુ હવે ફરાર જાહેર કરાયેલા ગુનેગારો સામે પણ કાર્યવાહી થઈ શકશે.

નવા કાયદા અનુસાર, જો આરોપ ઘડ્યાના 90 દિવસ પછી પણ આરોપી કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સુનાવણી શરૂ કરવામાં આવશે. આ એટલા માટે છે કારણ કે કોર્ટ માની લેશે કે આરોપીએ ન્યાયી સુનાવણીનો પોતાનો અધિકાર છોડી દીધો છે.

દયા અરજી પર પણ નિયમો બદલાયા

મૃત્યુદંડના ગુનેગાર માટે તેની સજા ઘટાડવા અથવા માફ કરવા માટેનો છેલ્લો ઉપાય દયા અરજી છે. જ્યારે તમામ કાયદાકીય માર્ગો ખતમ થઈ જાય છે, ત્યારે દોષિતને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનો અધિકાર છે.

અત્યાર સુધી તમામ કાયદાકીય માર્ગો ખતમ કર્યા પછી દયા અરજી દાખલ કરવા માટે કોઈ સમય મર્યાદા ન હતી. પરંતુ હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 472 (1) હેઠળ તમામ કાયદાકીય વિકલ્પોને સમાપ્ત કર્યા પછી દોષિતે 30 દિવસની અંદર રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવી પડશે.

રાષ્ટ્રપતિ દયા અરજી પર જે પણ નિર્ણય લે તેની જાણકારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ અધિક્ષકને 48 કલાકની અંદર આપવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
Embed widget