શોધખોળ કરો

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર

Jammu Kashmir Elections 2024: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ડોડામાં જાહેર સભાને સંબોધશે.

Jammu Kashmir Elections 2024: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) સવારે સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલુ છે. કારણ કે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ દ્વારા મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે હજુ કેટલાક આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે. જેથી આ સમાચાર બાદ 13-14 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ચક ટપ્પર ક્રીરી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાસ્તવમાં બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાત્રે અથડામણ શરૂ થઈ હતી, જે આખી રાત ચાલુ રહી. આ અંગે અધિકારીઓના જણાવ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકીઓને ઠાર મારવાનું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.

બારામુલ્લામાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને સફળતા મળી જ્યારે શુક્રવારે યુટીના કિશ્તવાડમાં એક અથડામણમાં જેસીઓ સહિત બે સૈનિકો શહીદ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છતરુ પોલીસ સ્ટેશન વિસ્તારના નૈદગામ ગામના ઉપરના વિસ્તારોમાં પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોના સર્ચ પાર્ટીઓ અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે એન્કાઉટર થયું હતું. જેમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી બે જેસીઓ નાયબ સુબેદાર વિપન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારોમાં 2 મહિનાથી આતંકવાદી હુમલા થઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે, જમ્મુ ડિવિઝનના પુંછ, રાજૌરી, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુરના પહાડી જિલ્લાઓમાં બે મહિનાથી વધુ સમયથી સેના, સુરક્ષા દળો અને નાગરિકો પર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. આતંકવાદીઓ અચાનક હુમલો કરે છે અને પછી પર્વતીય વિસ્તારોના જંગલોમાં ગાયબ થઈ જાય છે. આ હુમલા માટે વિદેશી આતંકવાદીઓનું એક જૂથ જવાબદાર હોવાનું કહેવાય છે. આ આતંકીઓની સંખ્યા 40 થી 50 છે. અહેવાલ બાદ, સેનાએ તે જિલ્લાઓના ગીચ જંગલ વિસ્તારોમાં ચુનંદા પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં તાલીમ પામેલા સૈનિકો સહિત 4,000 થી વધુ પ્રશિક્ષિત સૈનિકોને તૈનાત કર્યા છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદી આજે ડોડાની મુલાકાતે 

કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં આવી આતંકવાદી ગતિવિધિઓ પણ મહત્વની અને ચિંતાજનક છે કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે યુટીની મુલાકાત લેશે. તેઓ ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. ચૂંટણીની જાહેરાત બાદ યુટીમાં પીએમની આ પહેલી રેલી હશે. આ પછી તેઓ 19 સપ્ટેમ્બરે શ્રીનગર પણ જશે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી ચૂંટણી પ્રભારી (જમ્મુ અને કાશ્મીર) એ કહ્યું કે છેલ્લી વખત દેશના કોઈ વડાપ્રધાને 1982માં ડોડાની મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં 1 ઓક્ટોબર, 2024ના રોજ મતદાન થશે.

આ પણ વાંચો...

jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget