દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
બંગાળ બાદ હવે દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

- TMC સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભા પદેથી રાજીનામું.
- ભ્રષ્ટાચાર અંગે બોલતા પાર્ટીમાં એકલા પડતા નિર્ણય લીધો.
- તેમણે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપી મમતાને મેઈલ કર્યો.
- રોયે INDIA ગઠબંધનનું ભવિષ્ય નહીં હોવાનું પણ જણાવ્યું.
TMC News: બંગાળ બાદ હવે દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે તેમણે સાંસદ પદની સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે સુખેન્દુ શેખર રાય આ સમયે દેશની રાજધાની દિલ્હીમાં જ હાજર છે. તેમણે સોમવારે સીધા દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સાથે મુલાકાત કરીને તેમને સંસદના ઉપલા ગૃહની સદસ્યતા પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું. આના તરત જ પછી તેમણે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાંથી પણ પોતાના રાજીનામાની કોપી પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને ઈમેલ દ્વારા મોકલી દીધી.
આ પણ વાંચો...નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
સુખેન્દુ શેખર રોયે રાજ્યસભાના ચેરમેન એટલે કે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમણે ઈન્ડિયા ગઠબંધનની બેઠક પર કહ્યું કે આ ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ તેમણે ત્યાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ગણાવ્યું.
કોયલ મલિકના રાજીનામાના સમાચાર પણ સામે આવ્યા હતા
એવા સમાચાર સામે આવ્યા હતા કે TMC ના બે સાંસદો રાજ્યસભામાંથી રાજીનામું આપી શકે છે, જેમાં સુખેન્દુ શેખરનું નામ પણ સામેલ હતું. તેમના સિવાય કોયલ મલિકનું નામ પણ સામે આવ્યું હતું, જેમને આ જ વર્ષે એપ્રિલમાં TMC એ રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે અત્યાર સુધી કોયલ મલિકના રાજીનામાના સમાચાર નથી.
સુખેન્દુના રાજીનામાના ટાઈમિંગે તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતૃત્વને દિલ્હીમાં સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું છે. સોમવારે જ વિપક્ષી ઈન્ડિયા બ્લોકની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતાનો મોરચો સંભાળવા પહોંચ્યા છે, પરંતુ બરાબર સમયે તેમની પોતાની જ પાર્ટીના સૌથી મોટા ચહેરાએ સાથ છોડી દીધો છે.
બંગાળમાં ટીએમસીની હાર અંગે સુખેન્દુ રોયે શું કહ્યું?
રોયે કહ્યું, "હું માંગ કરું છું કે સરકાર છેલ્લા પાંચ વર્ષમાં બંગાળના દરેક શહેરમાં થયેલા ભ્રષ્ટાચારનું ફોરેન્સિક ઓડિટ કરાવે." ટીએમસીની હાર અંગે, તેમણે કહ્યું કે જ્યારે આરજી કાર મુદ્દા પર ખરેખર રોષ હતો, ત્યારે આરજી કાર ઘટના બાદ જનતામાં અન્ય ઘણી અંતર્ગત ફરિયાદો પણ સામે આવી હતી.





















