શોધખોળ કરો

Jammu Kashmir: રાજૌરીમાં સૈન્ય કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Terrorists Killed in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આતંકવાદીઓ રાજૌરીમાં આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે.

આ પહેલા જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું હતું કે, "કોઈએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. દરહાલ પોલીસ સ્ટેશનથી છ કિલોમીટર દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

સ્વતંત્રતા દિવસ પહેલા દેશને હચમચાવી દેવા માટે આતંકવાદી સંગઠનો સતત કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક છે અને ભારતીય સુરક્ષા દળો આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી રહ્યા છે. રાજૌરીમાં આર્મી કેમ્પમાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ ઉરી હુમલાની યાદ અપાવે છે.

ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બર 2016ના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે ભારતીય સેનાના સ્થાનિક હેડક્વાર્ટરમાં ઘૂસીને સૂતેલા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સૂતેલા જવાનો પર ગોળીબાર કર્યો અને 17 હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. આ આતંકી હુમલામાં સેનાના 16 જવાનો શહીદ થયા હતા. આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના હોવાનું કહેવાય છે. લગભગ છ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા. 20 વર્ષમાં ભારતીય સેના પર આ સૌથી મોટો હુમલો હતો. દસ દિવસ પછી 28-29 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ આયોજન સાથે પીઓકેની અંદર ત્રણ કિલોમીટર સુધી ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget