શોધખોળ કરો

Jammu Kashmir: રાજૌરીમાં સૈન્ય કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Terrorists Killed in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આતંકવાદીઓ રાજૌરીમાં આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે.

આ પહેલા જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું હતું કે, "કોઈએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. દરહાલ પોલીસ સ્ટેશનથી છ કિલોમીટર દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

સ્વતંત્રતા દિવસ પહેલા દેશને હચમચાવી દેવા માટે આતંકવાદી સંગઠનો સતત કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક છે અને ભારતીય સુરક્ષા દળો આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી રહ્યા છે. રાજૌરીમાં આર્મી કેમ્પમાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ ઉરી હુમલાની યાદ અપાવે છે.

ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બર 2016ના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે ભારતીય સેનાના સ્થાનિક હેડક્વાર્ટરમાં ઘૂસીને સૂતેલા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સૂતેલા જવાનો પર ગોળીબાર કર્યો અને 17 હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. આ આતંકી હુમલામાં સેનાના 16 જવાનો શહીદ થયા હતા. આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના હોવાનું કહેવાય છે. લગભગ છ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા. 20 વર્ષમાં ભારતીય સેના પર આ સૌથી મોટો હુમલો હતો. દસ દિવસ પછી 28-29 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ આયોજન સાથે પીઓકેની અંદર ત્રણ કિલોમીટર સુધી ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget