Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર
Assam News: કેન્દ્ર સરકારને આસામ અને ઉત્તર-પૂર્વના સંબંધોમાં મોટી સફળતા મળી છે. શુક્રવારે (29 ડિસેમ્બર) સરકાર અને આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Assam News: કેન્દ્ર સરકારને આસામ અને ઉત્તર-પૂર્વના સંબંધોમાં મોટી સફળતા મળી છે. શુક્રવારે (29 ડિસેમ્બર) સરકાર અને આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્ફાના વાર્તા સમર્થક જૂથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કેન્દ્ર અને આસામ સરકારો સાથે ત્રિપક્ષીય શાંતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા.
#WATCH | On United Liberation Front of Assam (ULFA) signing a tripartite Memorandum of Settlement with the Centre and the Assam government, Union Home Minister Amit Shah says, " This is a new start of a period of peace for the whole Northeast especially Assam. I want to assure… pic.twitter.com/Pv3rX3lseZ
— ANI (@ANI) December 29, 2023
ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે શુક્રવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર આતંકવાદી સંગઠન ULFAના પ્રતિનિધિઓ અને આસામ સરકાર વચ્ચે શાંતિ સમાધાન કરારના મુસદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પૂર્વોત્તરમાં ભારત સરકારના શાંતિ પ્રયાસો તરફ આ એક મોટું પગલું છે. કારણ કે, ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આસામના ભવિષ્ય માટે આજનો દિવસ સુવર્ણ દિવસ છે. આસામ લાંબા સમયથી હિંસાનો સામનો કરી રહ્યું છે, સમગ્ર ઉત્તર-પૂર્વે હિંસાનો સામનો કરવો પડ્યો છે, જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે (2014 થી), દિલ્હી અને ઉત્તર-પૂર્વ વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખુલ્લા મનથી દરેક સાથે વાતચીત શરૂ થઈ અને તેમના (PM મોદીના) માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે ઉગ્રવાદ મુક્ત, હિંસા-મુક્ત અને સંઘર્ષ-મુક્ત ઉત્તર-પૂર્વના વિઝન સાથે ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યોમાં 9 શાંતિ અને સરહદ સંબંધિત સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેના કારણે ઉત્તર-પૂર્વના મોટા ભાગમાં શાંતિ સ્થપાઈ છે.
તમામ સશસ્ત્ર જૂથોને ખતમ કરવામાં સફળતા મળી છે
ગૃહમંત્રીએ કહ્યું, રેકોર્ડ પર, 9 હજારથી વધુ કેડરોએ આત્મસમર્પણ કર્યું છે અને આસામના 85 ટકા ભાગમાંથી AFSPA હટાવવામાં આવી રહી છે અને આજે ભારત સરકાર, આસામ સરકાર અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) વચ્ જચે ત્રિ-પક્ષીય સમજૂતી થઈ છે, આનાથી આસામના તમામ સશસ્ત્ર જૂથોના મુદ્દાને અહીં સમાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. તે જ સમયે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આજે આસામ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આસામની શાંતિ પ્રક્રિયા ચાલુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
