શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બીજા દેશોની શક્તિ વધારશે ભારતની આકાશ મિસાઇલો, મોદી કેબિનેટે આપી નિકાસને મંજૂરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, - આકાશ મિસાઇલની નિકાસ કરવામાં આવનારા સંસ્કરણ ભારતની પાસે તૈનાત હાજર આકાશ મિસાઇલ વર્ઝનથી અલગ હશે
![બીજા દેશોની શક્તિ વધારશે ભારતની આકાશ મિસાઇલો, મોદી કેબિનેટે આપી નિકાસને મંજૂરી union cabinet approved export of akash missile બીજા દેશોની શક્તિ વધારશે ભારતની આકાશ મિસાઇલો, મોદી કેબિનેટે આપી નિકાસને મંજૂરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/30213721/Akash-missile-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મોદી સરકારે બુધવારે રક્ષા ક્ષેત્રમાં મોટો ફેંસલો લેતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી દીધી છે. આ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, - આકાશ મિસાઇલની નિકાસ કરવામાં આવનારા સંસ્કરણ ભારતની પાસે તૈનાત હાજર આકાશ મિસાઇલ વર્ઝનથી અલગ હશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટ્વીટ કરતા કહ્યું- આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત પોતાની રક્ષા પ્લેટફાર્મા અને મિસાઇલોની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યક્ષતામાં કેબિનેટે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી દીધી છે, અને આની નિકાસની ઝડપથી મંજૂરી માટે એક સમિતિનુ ગઠન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સતત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહ્યું છે. જેથી દેશમાં વધુમા વધુ રોજગારના અવસર પેદા થવાની સાથે રોકાણનો પણ મોકો મળે.
આ મહિનાના શરૂઆતમાં મોદી સરકારે નવી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પર 22810 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી. આ યોજનાનો હેતુ મહામારીના સમયમાં કંપની દુનિયાને નવી નિયુક્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે. સત્તાવાર નિવેદન પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)