શોધખોળ કરો

એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં એમપોક્સના કુલ 102,997 કેસ નોંધાયા છે

દિલ્હીમાં એમપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ આ એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ પર પણ તકેદારી વધારવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એમપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા, ચેપની પુષ્ટી થાય તો તેમને આઇસોલેટ કરવા અને ચેપનું જોખમ ઘટાડવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરવા સલાહ આપી છે.

શું કહ્યું હતું એડવાઈઝરીમાં?

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે NIV પુણેની તપાસમાં એક પણ પુષ્ટી થયેલ કેસ બહાર આવ્યો નથી. એરપોર્ટ પર શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય તપાસ કરાવવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય એઇડ્સ નિયંત્રણ સમિતિઓને પણ MPOX અંગે જાગૃતિ વધારવા માટે અપીલ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં શંકાસ્પદ અને કન્ફર્મ કેસના કિસ્સામાં આઈસોલેશનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પ્રથમ શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલ તેમની હાલત સ્થિર છે. તેના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. એમપોક્સ અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતું હતું. આ વાયરસે છેલ્લા ઘણા સમયથી આફ્રિકાના કેટલાક દેશોમાં તબાહી મચાવી છે. પરંતુ 2022 માં આ વાયરસ વૈશ્વિક ચિંતા તરીકે ઉભરી આવ્યો. આ પછી MPOX ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે.                                

એમપોક્સના કારણે અત્યાર સુધીમાં 223 લોકોના મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અત્યાર સુધીમાં એમપોક્સના કુલ 102,997 કેસ નોંધાયા છે. 223 લોકોના મોત થયા છે. આમાંથી અડધાથી વધુ કેસો આફ્રિકન દેશોના હતા. 

ભારતમાં પણ મંકીપોક્સની એન્ટ્રી! વિદેશથી પરત આવેલા વ્યક્તિમાં લક્ષણો મળ્યા, આઈસોલેટ કરવામાં આવ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget