શોધખોળ કરો

પુલવામા હુમલાના 11 શહીદોના પરિવારને કેમ નથી મળી નોકરી? સરકારે સંસદમાં આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા

વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની લગભગ એક ડઝન વિધવાઓએ સરકારી નોકરીઓ માટે અરજી કરવા માટે તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના 19 પરિવારજનોને અનુકંપાના આધારે સરકારી નોકરી આપવામાં આવી છે. જ્યારે વધુ ત્રણ નિમણૂક પ્રક્રિયામાં છે.

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 11 વિધવાઓએ તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે જેથી તેઓ અનુકંપાના આધારે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે.

કેટલી સહાય આપવામાં આવી

આમાંના કેટલાક બાળકો ચાર વર્ષની વયના છે, જેમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ મનોજ કે બેહરાની પુત્રી અને કોન્સ્ટેબલ ભગીરથ સિંહનો સાત વર્ષનો પુત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું. માર્યા ગયેલા 40 સીઆરપીએફ જવાનોના નજીકના સંબંધીઓને આપવામાં આવેલી નાણાકીય સહાય અને સરકારી નોકરીઓની વિગતો શેર કરતા રાયે કહ્યું કે દરેક પરિવારને સંપૂર્ણ વળતર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અને વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ દ્વારા અપાયેલી રકમ અથવા દાનમાં આપવામાં આવેલ 1.5 કરોડથી 3 કરોડ રૂપિયા સુધીની રકમનો સમાવેશ થાય છે.

જ્યારે આઠ શહીદોના પરિવારોને 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા અને 29 પરિવારોને 2 કરોડથી 2.5 કરોડ રૂપિયાની વચ્ચે કુલ વળતર મળ્યું છે. મંત્રીએ કહ્યું કે ત્રણ શહીદોના પરિવારને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની વચ્ચે વળતર મળ્યું છે.

ભારતે પુલવામાનો બદલો લીધો

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે જમ્મુ-શ્રીનગર હાઈવે પર CRPF જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી, જેના પછી ભારતે માત્ર 12 દિવસમાં 'નાપાક' પાકિસ્તાન પાસેથી બદલો લીધો હતો. ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ હુમલો 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહનથી કર્યો હતો

વાસ્તવમાં આતંકવાદીઓએ પુલવામામાં નેશનલ હાઈવે પર જઈ રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહને CRPFના વાહનને ટક્કર મારી અને કાફલાને ઉડાવી દીધો હતો.

આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરનું નામ આદિલ અહમદ ડાર હતું. આ સિવાય સજ્જાદ ભટ્ટ, મુદાસિર અહમદ ખાન વગેરે જેવા આતંકવાદીઓ પણ હુમલામાં સામેલ હતા, જેમને બાદમાં સેનાએ ઠાર માર્યા હતા. આ મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેણે 13,500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
3 લાખનું સોનું ખરીદવું ફાયદાકારક કે ચાંદી, જાણો 2050માં કોની કેટલી થશે કિંમત ?
3 લાખનું સોનું ખરીદવું ફાયદાકારક કે ચાંદી, જાણો 2050માં કોની કેટલી થશે કિંમત ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
Embed widget