શોધખોળ કરો

પુલવામા હુમલાના 11 શહીદોના પરિવારને કેમ નથી મળી નોકરી? સરકારે સંસદમાં આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા

વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની લગભગ એક ડઝન વિધવાઓએ સરકારી નોકરીઓ માટે અરજી કરવા માટે તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના 19 પરિવારજનોને અનુકંપાના આધારે સરકારી નોકરી આપવામાં આવી છે. જ્યારે વધુ ત્રણ નિમણૂક પ્રક્રિયામાં છે.

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 11 વિધવાઓએ તેમના બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે જેથી તેઓ અનુકંપાના આધારે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકે.

કેટલી સહાય આપવામાં આવી

આમાંના કેટલાક બાળકો ચાર વર્ષની વયના છે, જેમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ મનોજ કે બેહરાની પુત્રી અને કોન્સ્ટેબલ ભગીરથ સિંહનો સાત વર્ષનો પુત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું. માર્યા ગયેલા 40 સીઆરપીએફ જવાનોના નજીકના સંબંધીઓને આપવામાં આવેલી નાણાકીય સહાય અને સરકારી નોકરીઓની વિગતો શેર કરતા રાયે કહ્યું કે દરેક પરિવારને સંપૂર્ણ વળતર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અને વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ દ્વારા અપાયેલી રકમ અથવા દાનમાં આપવામાં આવેલ 1.5 કરોડથી 3 કરોડ રૂપિયા સુધીની રકમનો સમાવેશ થાય છે.

જ્યારે આઠ શહીદોના પરિવારોને 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા અને 29 પરિવારોને 2 કરોડથી 2.5 કરોડ રૂપિયાની વચ્ચે કુલ વળતર મળ્યું છે. મંત્રીએ કહ્યું કે ત્રણ શહીદોના પરિવારને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની વચ્ચે વળતર મળ્યું છે.

ભારતે પુલવામાનો બદલો લીધો

14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. જ્યારે જમ્મુ-શ્રીનગર હાઈવે પર CRPF જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી, જેના પછી ભારતે માત્ર 12 દિવસમાં 'નાપાક' પાકિસ્તાન પાસેથી બદલો લીધો હતો. ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ હુમલો 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહનથી કર્યો હતો

વાસ્તવમાં આતંકવાદીઓએ પુલવામામાં નેશનલ હાઈવે પર જઈ રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહને CRPFના વાહનને ટક્કર મારી અને કાફલાને ઉડાવી દીધો હતો.

આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરનું નામ આદિલ અહમદ ડાર હતું. આ સિવાય સજ્જાદ ભટ્ટ, મુદાસિર અહમદ ખાન વગેરે જેવા આતંકવાદીઓ પણ હુમલામાં સામેલ હતા, જેમને બાદમાં સેનાએ ઠાર માર્યા હતા. આ મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેણે 13,500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget