શોધખોળ કરો

Wayanad landslide: લોકસભામાં વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો, રાહુલ ગાંધીએ વળતર વધારવાની કરી માંગ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા.

નવી દિલ્હી:  કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરલ ભૂસ્ખલ મુદ્દે બોલ્યા હતા. 

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે 60 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને લઈ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "આજે વહેલી સવારે વાયનાડમાં ભૂસ્ખલન થયુ છે. મુંડકાઈ ગામનો સંપર્ક તૂટી ગયો છે અને આ ત્રાસદીના કારણે જાનહાનિ અને વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે."

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, "મેં રક્ષામંત્રી અને કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે બચાવ અને તબીબી સંભાળ માટે તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે, મૃતકોને તાત્કાલિક વળતર આપવામાં આવે. જો શક્ય હોય તો વળતર વધારવું જોઈએ." મહત્વપૂર્ણ પરિવહન અને સંદેશાવ્યવહાર લાઇનને પુનઃસ્થાપિત કરવી જોઈએ, શક્ય તેટલી વહેલી તકે રાહતની વ્યવસ્થા કરવી જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું બોલી રહ્યો છું ત્યારે પણ વાયનાડ અને પશ્ચિમ ઘાટના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં ભૂસ્ખલનની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોના નકશા બનાવવાની અને પર્યાવરણીય રીતે નાજુક પ્રદેશમાં કુદરતી આફતોની વધતી જતી ઘટનાઓને રોકવા માટે  પગલાં અને યોજનાઓ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે.

ભૂસ્ખલનને કારણે પહાડો પરથી મોટા મોટા પથ્થરો નીચે પડી રહ્યા છે અને બચાવકર્મીઓના માર્ગમાં અવરોધો ઉભી કરી રહ્યા હતા. ભારે વરસાદ હોવા છતાં કામમાં રોકાયેલા લોકો મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોઈ શકાય છે.

પીએમ મોદી અને સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Embed widget