શોધખોળ કરો

વકફ કાયદા વિરુદ્ધ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, કર્ફ્યૂ લાગુ

West Bengal Violence Over Waqf Law: મુર્શિદાબાદમાં મોટી સંખ્યામાં લોકો આ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે એકઠા થયા હતા

West Bengal Violence Over Waqf Law: પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં મંગળવારે (08 એપ્રિલ, 2025) વક્ફ (સંશોધન) કાયદાના વિરોધમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી જાંગીપુરના રઘુનાથગંજ અને સુતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં BNS ની કલમ 163 લાગુ કરવામાં આવી હતી.

બિલને લઈને મુર્શિદાબાદમાં થયેલા વિરોધ પ્રદર્શનો પર ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, "કોઈ રમખાણો કે હિંસા થઈ નથી. કદાચ એક કે બે છૂટાછવાયા બનાવો બન્યા હશે. આ દિવસ શક્તિ બતાવવાનો નથી, પરંતુ ભક્તિ પ્રદર્શિત કરવાનો દિવસ છે.

વકફ કાયદો પાછો ખેંચવાની માંગ માટે લોકો એકઠા થયા હતા

આ ઘટના જાંગીપુર વિસ્તારમાં બની હતી જ્યાં બપોરે મોટી સંખ્યામાં લોકો આ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે એકઠા થયા હતા. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "વિરોધીઓએ વિસ્તારમાં તૈનાત પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને કેટલાક પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી." તેમણે કહ્યું કે ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

આ મામલે રાજકારણ શરૂ થયું

રાજ્યમંત્રી અને જમિયત ઉલેમા-એ-હિંદના પશ્ચિમ બંગાળ પ્રમુખ સિદ્દીકુલ્લાહ ચૌધરીએ પોલીસ કાર્યવાહીની નિંદા કરી અને કહ્યું હતું કે ડાબેરી શાસન દરમિયાન પણ પોલીસ દ્વારા લઘુમતીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવતો ન હતો. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચૌધરીએ કહ્યું, "ડાબેરી શાસન દરમિયાન પણ પોલીસે ક્યારેય લઘુમતીઓ પર લાઠીચાર્જ કર્યો નથી. જો કોઈએ હિંસાનો આશરો લીધો હોય તો સ્પષ્ટપણે કાર્યવાહી થવી જોઈએ પરંતુ રેલી પર લાઠીચાર્જ અસ્વીકાર્ય છે."

બીજી તરફ ભાજપે પરિસ્થિતિ માટે શાસક તૃણમૂલ કોંગ્રેસને દોષિત ઠેરવી હતી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર "લઘુમતીઓનું તુષ્ટિકરણ" કરવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે 'X' પરની એક પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે મુર્શિદાબાદમાં એક ચોક્કસ સમુદાયે રમખાણો કર્યા, પોલીસ વાહનોને આગ ચાંપી દીધી અને સરકારી સંપત્તિનો નાશ કર્યો, જ્યારે મુખ્યમંત્રી "ચુપ" રહ્યા.

વકફ સુધારા બિલ કાયદો બન્યો

લોકસભા અને રાજ્યસભાએ અનુક્રમે 3 એપ્રિલ અને 4 એપ્રિલના રોજ મધ્યરાત્રિ પછી વકફ (સુધારા) બિલ પસાર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલના રોજ પ્રસ્તાવિત કાયદાને પોતાની સંમતિ આપી હતી. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ બિલને ટેકો આપ્યો હતો. આ કાયદા વિરુદ્ધ અનેક મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

(સંદીપ સરકારના ઇનપુટ સાથે)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget