શોધખોળ કરો

સોમવારથી દેશનાં માત્ર 13 શહેરોમાં જ રહેશે લોકડાઉન ? જાણો કેમ શરૂ થઈ આ અટકળો ? ગુજરાતનાં કેટલાં શહેરોનો સમાવેશ ?

આ શહેરોમાં પ્રસાસન અને નિગમ તરફથી કોવિડ-19 વિરૂદ્ધ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકાર 31 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં એ અંગે હજુ કશું નક્કી નથી ત્યારે 31 મેના રોજ લોકડાઉન પૂરું થાય એ પછી દેશનાં 13 જ શહેરો અને જિલ્લામાં લોકડાઉ લંબાવાશે એવો સંકેત મળી રહ્યા છે. કેબિનેટ સચિવ રાજીવ ગાઉબાએ દેશના 13 શહેરના મ્યુનિસિપલ કમિશ્નર્સ અને આ શહેર જે જિલ્લામાં આવે છે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરો સાથે ગુરૂવારે લોકડાઉન મુદ્દે ચર્ચા કરી હતી. દેશમાં કોરોનાના 70 ટકા કેસો આ શહેર-જિલ્લામાં છે તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે, હવે પછી માત્ર આ 13 શહેર-જિલ્લામાં જ લોકડાઉન લદાશે. આ 13 શહેર-જિલ્લામાં ગુજરાતમાંથી માત્ર અમદાવાદનો સમાવેશ કરાયો છે. આ 13 શહેર જિલ્લામાં મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાત્તા/હુબલી, ઈન્દોર, જયપુર, જોધપુર ઉપરાંત તમિલનાડુનાં બે શહેરો ચેંગલપટ્ટુ અને થિરુવલ્લુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં પ્રસાસન અને નિગમ તરફથી કોવિડ-19 વિરૂદ્ધ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. કોરોના પ્રભાવિત વિસ્તારમાં કોવિડનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે તેને લઈને કેન્દ્ર તરફથી દિશા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 શહેરોમાં કોરોનાનો કન્ફર્મેશન રેટ, ફેટલિટી રેટ, ડબલિંગ રેટ અને પ્રતિ 10 લાખ લોકો પર કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે, તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. કેન્દ્રનો ભાર એ વાત પર છે કે કોરોનાના પોઝિટિવ કેસને આધારે જ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકડાઉનના નિયમ પૂર્ણ રીતે લાગુ કરવા પર પણ સરકાર ભાર મુકી રહી છે. કોઈ રહેણાંક કોરોની, ગલી, નિગમ વોર્ડ કે પોલીસ સ્ટેશનના વિસ્તાર, નિગમ ઝોન, નગરમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો નિર્ણય નગર નિગમ પર છોડવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget