શોધખોળ કરો

સોમવારથી દેશનાં માત્ર 13 શહેરોમાં જ રહેશે લોકડાઉન ? જાણો કેમ શરૂ થઈ આ અટકળો ? ગુજરાતનાં કેટલાં શહેરોનો સમાવેશ ?

આ શહેરોમાં પ્રસાસન અને નિગમ તરફથી કોવિડ-19 વિરૂદ્ધ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકાર 31 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં એ અંગે હજુ કશું નક્કી નથી ત્યારે 31 મેના રોજ લોકડાઉન પૂરું થાય એ પછી દેશનાં 13 જ શહેરો અને જિલ્લામાં લોકડાઉ લંબાવાશે એવો સંકેત મળી રહ્યા છે. કેબિનેટ સચિવ રાજીવ ગાઉબાએ દેશના 13 શહેરના મ્યુનિસિપલ કમિશ્નર્સ અને આ શહેર જે જિલ્લામાં આવે છે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરો સાથે ગુરૂવારે લોકડાઉન મુદ્દે ચર્ચા કરી હતી. દેશમાં કોરોનાના 70 ટકા કેસો આ શહેર-જિલ્લામાં છે તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે, હવે પછી માત્ર આ 13 શહેર-જિલ્લામાં જ લોકડાઉન લદાશે. આ 13 શહેર-જિલ્લામાં ગુજરાતમાંથી માત્ર અમદાવાદનો સમાવેશ કરાયો છે. આ 13 શહેર જિલ્લામાં મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાત્તા/હુબલી, ઈન્દોર, જયપુર, જોધપુર ઉપરાંત તમિલનાડુનાં બે શહેરો ચેંગલપટ્ટુ અને થિરુવલ્લુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં પ્રસાસન અને નિગમ તરફથી કોવિડ-19 વિરૂદ્ધ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. કોરોના પ્રભાવિત વિસ્તારમાં કોવિડનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે તેને લઈને કેન્દ્ર તરફથી દિશા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 શહેરોમાં કોરોનાનો કન્ફર્મેશન રેટ, ફેટલિટી રેટ, ડબલિંગ રેટ અને પ્રતિ 10 લાખ લોકો પર કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે, તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. કેન્દ્રનો ભાર એ વાત પર છે કે કોરોનાના પોઝિટિવ કેસને આધારે જ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકડાઉનના નિયમ પૂર્ણ રીતે લાગુ કરવા પર પણ સરકાર ભાર મુકી રહી છે. કોઈ રહેણાંક કોરોની, ગલી, નિગમ વોર્ડ કે પોલીસ સ્ટેશનના વિસ્તાર, નિગમ ઝોન, નગરમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો નિર્ણય નગર નિગમ પર છોડવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget