શોધખોળ કરો

કેન્દ્રશાસિત પ્રદેશની માંગ વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું, 'બંગાળના ભાગલા કરવાનો કોઈ સવાલ નથી, અમે તેની મંજૂરી આપીશું નહીં'

મમતા બેનર્જીએ કહ્યું હતું કે દક્ષિણ અને ઉત્તર બંગાળ મળીને પશ્ચિમ બંગાળ બનાવે છે

CM Mamata Banerjee Slams BJP: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (ઑક્ટોબર 19) કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળના વિભાજનને મંજૂરી આપશે નહીં. સિલીગુડીમાં 'વિજય સંમેલન' અને દુર્ગા પૂજા પછીની સભાને સંબોધતા તેમણે લોકોને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અડચણરૂપ કરવા માટે ઉશ્કેરણીથી દૂર રહેવા વિનંતી કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે દક્ષિણ અને ઉત્તર બંગાળ મળીને પશ્ચિમ બંગાળ બનાવે છે. પશ્ચિમ બંગાળને વિભાજિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું હતું કે, અમે તેની મંજૂરી આપીશું નહીં. અમે એક બંગાળ ઇચ્છીએ છીએ. જો આપણે સાથે મળીને કામ કરીશું તો ઉત્તર બંગાળ મજબૂત થશે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની સરકારે આ વિસ્તારમાં જે વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

ભાજપના નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ કરી રહ્યા છે

મમતા બેનર્જીનું નિવેદન પ્રદેશના ભાજપના નેતાઓનો એક વર્ગે ઉત્તર બંગાળના જિલ્લાઓને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે મર્જ કરવાની માંગણી કર્યા પછી આપ્યું છે.  ભાજપના નેતાઓએ પણ અહીં વિકાસના અભાવનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદેશના આઠ જિલ્લાની પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો.

મમતા બેનર્જીએ કહ્યું, "આ વર્ષે ઈદ મિલાદ-ઉન-નબીની ઉજવણી સારી રીતે કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તોફાન કરવાનો  અને કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો અને કોમી અથડામણો માટે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હું શાંતિપૂર્ણ ઉજવણી માટે બંને સમુદાયોને ધન્યવાદ આપવા  માંગુ છું.

Bihar Politics: 'ભાજપના સંપર્કમાં છે નીતિશ કુમાર, ફરીથી BJPની સાથે જઈ શકે' - દિગ્ગજ નેતાએ કર્યો દાવો

Prashant Kishor Big Statement: રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે અને જો સ્થિતિની માંગ હેશે તો તે પાર્ટી સાથે ફરીથી જોડાણ કરશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) એ પ્રશાંત કિશોરની ટિપ્પણીને નકારી કાઢતાં તેને ભ્રામક ગણાવી છે અને કહ્યું કે તેમનો હેતુ ભ્રમ ફેલાવવાનો છે.

પ્રશાંત કિશોર આ દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમની આ મુલાકાતને સક્રિય રાજકારણમાં જોડાવાના પ્રથમ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે, નીતિશ કુમારે JD(U) સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મારફત ભાજપ સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. આ સંદર્ભે તેમના જવાબ માટે હરિવંશને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તેમની પાર્ટીએ દાવાને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નીતિશ કુમાર ફરી ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget