![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ચીનમાં ઇઝરાયલી રાજદૂત પણ જીવલેણ હુમલો, જાણો અપડેટ્સ
Isreal Hamas war: ચીનમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઇઝરાયેલ રાજદૂત પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં તેમની હાલત ગંભીર છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
![ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ચીનમાં ઇઝરાયલી રાજદૂત પણ જીવલેણ હુમલો, જાણો અપડેટ્સ israeli diplomat attacked with knife in china admitted to hospital ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ચીનમાં ઇઝરાયલી રાજદૂત પણ જીવલેણ હુમલો, જાણો અપડેટ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/13/be2d03f38efe19eda4fc7287fbe9d023169718931434181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Isreal Hamas war:ચીનમાં ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ આતંકવાદી હુમલો હોઈ શકે છે.
ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગમાં ઇઝરાયેલી દૂતાવાસના રાજદ્વારી પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજદ્વારીને શુક્રવારે શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ચાકુ મારવામાં આવ્યું હતું. બેઇજિંગમાં ઇઝરાયેલના દૂતાવાસમાં કામ કરતા રાજદ્વારી પર દૂતાવાસની નજીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત સ્થિર છે.
ગાઝામાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક 1,569 પર પહોંચી ગયો છે, જ્યારે 7,212 અન્ય ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં મૃત્યુઆંક 1,537 પર પહોંચી ગયો છે, જેમાં 500 બાળકો અને 276 મહિલાઓનો સમાવેશ થાય છે. શનિવારે પેલેસ્ટિનિયન ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (હમાસ) દ્વારા કરવામાં આવેલા મોટા પાયે ઓચિંતા હુમલાના જવાબમાં ઇઝરાયેલે હમાસ ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કર્યો અને ગુરુવારે ગાઝાના વિવિધ વિસ્તારોમાં ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ રહ્યા. ઇઝરાયલના જાહેર પ્રસારણકર્તા કાને કહ્યું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,300ને વટાવી ગયો છે.
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)