શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહને કર્યાં યાદ કહ્યું, “તેની ચિઠ્ઠી મારા હૃદયને સ્પર્શી ગઇ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે વરુણ હોસ્પિટલમાં હતો, તે સમયે મેં સોશિયલ મીડિયા પર કંઈક જોયું, જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમને આ વર્ષે ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન પછી, તેમણે તેમની શાળાના આચાર્યને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે, આ પત્ર વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તે મૂળમાં સિંચન કરવાનું ભૂલ્યો નથી. બીજું, જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો, ત્યારે તેઓ આવનારી પેઢીઓ વિશે ચિંતિત હતા.

સામાન્ય બનવું પણ ઠીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જીવનમાં વસ્તુઓ સમાન હશે. આ પ્રેરણાદાયી પાઠ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે આપ્યો, જેઓ હવે આ દુનિયામાં નથી.હે લિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે 15 ડિસેમ્બરના રોજ થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયાથી મોત સામે લડ્યાં પરંતુ, તેમણે જતાં જતાં  એ પાઠ આપવામાં આવ્યો હતો, જે કોઈપણ એવરેજ વિદ્યાર્થીને અસાધારણ બનાવી શકે છે.

વાસ્તવમાં, વરુણ સિંહે શૌર્ય ચક્ર એનાયત થયાના થોડા અઠવાડિયા પછી 18 સપ્ટેમ્બરના રોજ તેમની સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ, ચંડીમંદિરના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ઘણી પ્રેરણાદાયી વાતો લખી હતી. વિદ્યાર્થીઓને લખેલા આ પત્રમાં વરુણ સિંહે કહ્યું હતું કે સામાન્ય બનવામાં કોઈ નુકસાન નથી. બધા વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવી શકતા નથી. હા, એ ચોક્કસ છે કે જેઓ આ કરી શકે છે, તેમની પ્રશંસા થવી જોઈએ.

વરુણે પત્રમાં વિદ્યાર્થીઓને આગળ કહ્યું કે, જો તમે એવરેજ  છો તો એવું ન વિચારો કે તમે બસ આ એક જ કામ માટે બન્યાં છો. તમે શાળામાં એવરેજ  તેનો અર્થ એ નથી કે, આપ આપના બાકીના જીવન માટે એવરેજ રહેશો. તમે જે કરવા માંગો છો તે તમારા હૃદયની વાત સાંભળો. તે કલા, સંગીત, સાહિત્ય અથવા ગ્રાફિક ડિઝાઇનમાં કંઈપણ હોઈ શકે છે. તમે જે પણ કરો છો, તે સારી રીતે કરો અને તમારું શ્રેષ્ઠ આપો.

તેણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પોતે માત્ર એક એવરેજ સ્ટૂડન્ટ જ હતા.  ઘણી મહેનત કરીને તેણે 12માં પ્રથમ વર્ગના માર્ક્સ મેળવ્યા હતા. તેમને ઉડ્ડયન ક્ષેત્ર પસંદ હતું અને આજે એવો સમય આવી ગયો કે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વરુણ સિંહે આ પત્ર 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget