શોધખોળ કરો

Mehsana: ભાજપ શાસિત આ નગરપાલિકા સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ, કરોડોના ખર્ચે બની રહેલી દિવાલ કાગળની માફક તૂટવા લાગી

મહેસાણા: ભાજપ શાસિત ઉંઝા નગર પાલિકા વહીવટ સામે સવાલ ઉભા થયા છે. કરોડોના ખર્ચે બની રહેલી સંરક્ષણ દીવાલના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે.

મહેસાણા: ભાજપ શાસિત ઉંઝા નગર પાલિકા વહીવટ સામે સવાલ ઉભા થયા છે. કરોડોના ખર્ચે બની રહેલી સંરક્ષણ દીવાલના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. નવી બની રહેલી દીવાલ માત્ર હાથથી તૂટતાં વિરોધ પક્ષે કામ બંધ કરાવ્યું છે. ત્યારે આ કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કોની રહેમ નજર હેઠળ આ નબળી કામગીરી કરવામાં આવી તેવા સવાલો લોકો કરી રહ્યા છે.

દીવાલના કામ પર સવાલો ઉભા થયા

ભાજપ સાશિત મહેસાણાની ઉંઝા નગરપાલિકા જેના બાધકામના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગતા ચકચાર મચી છે. ઉંઝા શહેરની મધ્યમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલની બંને બાજુ અંદાજે પાંચ કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવાનું પાલિકાએ કામ શરૂ કર્યું હતું.  જો કે પ્રથમ ફેઝનું કામ પુર્ણ કર્યા બાદ બીજા ફેઝનુ કામ સરૂ થતાં આ દીવાલના કામ પર સવાલો ઉભા થયા છે. 

દિવાલ હાથથી કાગળની માફક તૂટી રહી છે

નગરપાલિકાના અપક્ષ સદસ્યો અને વીરોધ પક્ષનાં નેતાએ સાથે મળી આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. નગર પાલિકા પ્રમુખને પત્ર લખી જાણ કરી કે દીવાલનુ કામ ગુણવત્તા વિનાનું થઈ રહ્યું છે. જોકે એબીપી અસ્મિતાની ટીમ પણ અહીં પહોંચી અને કામ બાબતે વિપક્ષ નેતાને પૂછ્યું તો તેમને કૅમેરા સામે દિવાલ તોડી બતાવી. અહીં દિવાલ હાથથી કાગળની માફક તૂટી રહી છે.

નગર પાલિકા મહિલા પ્રમુખ કેમેરા સામે કંઈપણ કહેવા તૈયાર નથી

અપક્ષ સદસ્યોનો દાવો છે કે નગરપાલિકા પ્રમુખ અને બાધકામ વિભાગના અધિકારીની મિલી ભગતથી આવું ખરાબ કામ થાય છે અને નગરપાલિકા કોઈ પગલાં ભરતી નથી.  જોકે આ મુદ્દે ખૂદ નગર પાલિકાના ચીફ ઓફિસર કહે છે કે કામ ગુણવત્તા વિનાનું થયું છે અને જેની જાણ અમને થતાં અમે તાત્કાલિક કામ બંધ કરાયુ છે. જો કે સવાલ એ થાય છે કે શું કરોડોના બાધકામ સમયે  નગરપાલિકાના બાધકામ વિભાગ અધિકારી કોઈ તપાસ નહિ કરતા હોય. શું આટલી મોટી દિવાલ બનવા છતા કેમ તેની ગુણવત્તાની ચકાસણી ન થઇ. કોના ભરોસે ચાલે છે નગરપાલિકાનું કામ. તો બીજી તરફ નગર પાલિકા મહિલા પ્રમુખ અને અન્યા હોદેદારો કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget