શોધખોળ કરો

LokSabha: હજુ કોંગ્રેસ તુટે છે, ચૂંટણી પછી કેટલાક MLA આપશે રાજીનામા, 12માંથી 2 થઇ જશે -સીજે ચાવડાની ભવિષ્યવાણી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વિજાપુર બેઠક પરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ મોટુ નિવેદન આપ્યુ છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં પૉલિટીકલ ડ્રામા ચરમ પર પહોંચ્યો છે, છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં મોટાભાગના અને મોટા ગજાના કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસનો પંજો છોડી ચૂક્યા છે, અને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ લિસ્ટમાં સીજે ચાવડાથી લઇને અંબરીશ ડેર અને અર્જૂન મોઢવાડિયા જેવા દિગ્ગજોના નામ સામેલ છે. હવે લોકસભાની સાથે સાથે ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા સીજે ચાવડાએ મોટી ભવિષ્યવાણી કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સીજે ચાવડાનું કહેવું છે કે, હજુ પણ કોંગ્રેસ તુટશે, અને કેટલાક ધારાસભ્યો રાજીનામુ આપશે. 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઇ રહી છે, ત્યારે વિજાપુર બેઠક પરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ મોટુ નિવેદન આપ્યુ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સીજે ચાવડાએ કહ્યું કે હજુ કોંગ્રેસ તુટશે, અને આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો રાજીનામુ આપશે, જોકે, કોણ રાજીનામુ આપશે અને પછી ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે કોઇ વાત કહી નથી. વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાની મોટી ભવિષ્યવાણી છે કે, આ લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું આપશે. ચૂંટણી પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 12માંથી માત્ર 2 જ MLA જ રહે તેવી પુરેપુરી શક્યતાઓ છે. 

ઉલ્લેખનીય છે કે, સીજે ચાવડાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી, અને બાદમાં ભાજપમાં જોડાયા છે. ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સીજે ચાવડાને ફરીથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનાવ્યા છે. 

કોણ છે સી, જે ચાવડા

ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.

                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Male Fertility Decline:  થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Male Fertility Decline: થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Smriti Mandhana Palash Muchhal:
Smriti Mandhana Palash Muchhal: "તેનુ લેકે મેં જાવાંગા"...સ્મૃતિ અને પલાશે કર્યો જોરશોર ડાન્સ,વર-કન્યાનો વીડિયો વાયરલ
Embed widget