શોધખોળ કરો

Accident: તમિલનાડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલ કાર ખીણમાં ખાબકી, 8ના મોત; બે ઘાયલ

તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.

Accident:તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે.  એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.

સબરીમાલા મંદિરથી ભક્તો પરત ફરી રહ્યા હતા

કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

મૃતકોમાં એક સગીર પણ પણ સામેલ

જણાવવામાં આવી રહ્યું છે કે પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર  પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા

Big Breaking: સિક્કીમમાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખાઈમાં ખાબકતા 16 જવાન શહીદ

Army Truck Accident:ઉત્તર સિક્કિમમાં સેનાની ટ્રકને અકસ્માત નડ્યો છે. જેમાં 16 જવાનો શહીદ થયા છે. આ અકસ્માતમાં ચાર જવાન ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે 23 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તર સિક્કિમના જેમામાં આર્મીની ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. આ દુઃખદ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનોએ જીવ ગુમાવ્યા છે.

સૈન્યએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતું. જેમા જવાના માર્ગ પર, વાહન એક  વળાંક પર સ્લીપ થઈ ગયું હતું. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોએ જીવ ગુમાવ્યો. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.

કોવિડના વધતા જોખમ વચ્ચે સરકારે આપી માસ્ક પહેરવાની સલાહ

દુનિયામાં અચાનક વધતા કોરોનાના કેસોને જોતા ભારતમાં પણ ઘણા પ્રકારની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આને લઈને રિવ્યૂ મિટિંગ કરી છે. ત્યાર બાદ બધા રાજ્યો તથા દેશના લોકોને જરૂરી સાવધાની રાખવાની સલાહ પણ આપી .પરંતુ આ બધા વચ્ચે માસ્ક પહેરવાને લઈને ઘણું જ અસમંજસ જોવા મળ્યું છે. સરકારની તરફથી માસ્ક વિશે શું કહેવામાં આવ્યું છે, તેને ફરજીયાત કર્યું છે ક નહીં આ વાતને લઈને ખુબ ચર્ચાઓ થઇ રહી છે. તો અમે તમારું આ અસમંજસ દુર કરી દઈએ. 

માસ્કને લઈને શું છે હાલના નિયમ?

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બધા જ અધિકારીઓ તથા કોરોના એક્સપર્ટ કમિટીના લોકો સાથે મળીને એક રિવ્યૂ મિટિંગ કરી. આ મિટિંગની પછી સરકારની તરફથી એક ગાઈડલાઈ બહાર પાડવામાં આવી, જેમાં માસ્ક પહેરવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એવી અફવાઓઉડી કે સરકારે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી નાખ્યું છે. જોકે હજુ સુધી એવું થયું નથી. સરકારે ફક્ત સલાહ આપી છે કે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરો અને સોશિયલ સામાજિક અંતરનું પાલન કરો. એટલે કે માસ્કને લઈને હજુ સુધી કોઈ નિયમ કે દંડ નક્કી નથી કરવામાં આવ્યો. પરંતુ તેનો અર્થએ નથી કે આપણે બેપરવાહ થઈને ભીડભાડ વાળી જગ્યાએ વગર માસ્કમાં ફરીએ.

શું બોલ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

આરોગ્ય મનસુખા માંડવિયાએ તમામ અધિકારીઓને બેઠકમાં સજગ રહેવાની દેખરેખ રાખવા માટેના નિર્દેશ આપ્યા. બેઠક બાદ તેમણે Tweet કર્યું કે, “અમુક દેશોમાં કોવિડ-19માં વધારાને લઈને આજે નિષ્ણાતો તથા અધિકારીઓ સાથે બેઠક કરી કોવિડ હજુ સમાપ્ત નથી થયું. મેં બધા જ સંબંધિત લોકોને સજાગ રહેવા અને દેખરેખ રાખવા માટે કહ્યું છે. અમે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છીએ."

આ બેઠક પછી ડૉ.વીકે પોલએ કહ્યુંકે ફક્ત 27-28% ભારતીયોએ જ કોવિડ - 19ની રસીની બુસ્ટર ડોઝ લીધો છે. તેમણે કહ્યું કે લોકોને રસી લઇ લેવી જોઈએ આ સાથે જ ભીડ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે તેમણે ડરવાની જરૂર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશMangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદHospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.