શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ, જાણો કેટલા થાંભલા પડ્યા ? કેટલાં ટ્રાન્સફોર્મર બગડ્યાં ?

ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા.

રાજકોટઃ સત્તાવાર ચોમાસાનું આગમન થાય એ પહેલા જ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. જોકે આ વરસાદને પગલે અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની ફરિયાદો નોંધાઈ છે. સાથે સાથે વીજ પોલ ધરાસાઈ થવાની ઘટનાઓ પર સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ જોવા મળી છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ મળી હતી. બીજી બાજુ ભારે વરસાદને પગલે 1516 જેટલા વીજ પોલ પડી ગયા હતા અને 161 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થયા હતા. ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા. દર વખતે ચોમાસાની શરૂઆત પહેલા pgvcl કામગીરી કરે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી. અગાઉ પણ પ્રથમ વરસાદમાં જ રાજકોટ શહેર ના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. આ પહેલા સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભામાં 2.5 ઈંચ, સાવરકુંડલામાં 2.1 ઈંચ અને રાજૂલામાં 2.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બગસરા-કુકાવાવ માર્ગ પર બાવળના ચાર ઝાડ પડતાં હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતાં. જામકંડોરણા તાલુકના જામદાદર ગામે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર સોમનાથ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજુલામાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજુલામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget