શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં માવા-કરિયાણાની નહીં પણ આ વસ્તુની દુકાન પર લોકોની જામી ભીડ ? જાણીને આશ્ચર્ય થશે
પાન મસાલાની માગ એટલી હતી કે સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરમાં પાન-મસાલા અને સોપારીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો.
રાજકોટઃ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. જોકે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ મળી છે.
જોકે આ લોકડાઉનમાં પાન માવાના બંધાણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન 4માં પાન મસાલાની દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. જોકે આજે આ છૂટ મળતા જ રાજકોટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
સવારે 6 વાગ્યાથી વેપારીઓ જથ્થાબંધ વેપારીની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. પાન મસાલાની માગ એટલી હતી કે સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરમાં પાન-મસાલા અને સોપારીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો.
બીજી બાજુ પાન મસાલાની દુકાનો પર બંધાણીઓએ પાન મસાલા ખરીદવા માટે ભારે ભીડ લગાવી હતી જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ જાતનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકોટમાં કેટલીક જગ્યાએ ભીડ ભેગી થતા પોલીસ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
દુકાનો પર ભીડ જોવા મળતા કેટલાક પાન મસાલા દુકાનદારોએ બાઉન્સરો પણ ગોઠવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન ખુલતા પહેલા પાન મસાલાની ભારે કાળા બજારી જોવા મળી હતી. બંધાણીઓએ 4-5 ગણા ભાવો આપીને પાન મસાલા ખરીદ્યા હતા. જોકે આજે દુકાનો ખુલી તો પણ કેટલીક જગ્યાએ સ્ટોક ખત્મ થઈ ગયો તો ક્યાંક લોકોએ હજુ પણ ઉંચી કિંમત ચૂકવીને પાન મસાલાની ખરીદી કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion