શોધખોળ કરો

રાજ્યમાં નશાની હેરાફારીનો પર્દાફાશ, રાજકોટમાં 48 તો વલસાડમાં 56 કિલો ગાંજો ઝડપાયો

રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.

Cannabis in Gujarat: રાજ્યમાં ફરી એકવાર નશાની હેરાફેરી અને વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ, વલસાડ અને ભાવનગરથી ગાંજો ઝડપાયો છે. રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાની ખેતી કર્યાનો આરોપ છે.

તો વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.

ગાંજો લઈને આવનાર શખ્સ જંગલ વિસ્તારનો લાભ લઈને કાર મુકી ફરાર થયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 56 કિલો ગાંજો મળી આવ્યો છે. તો આ બાજુ ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.

ગાંજો એક પ્રકારનો નશો છે. ગાંજો વાસ્તવમાં કેનાબીસ સેટીવા નામના છોડના સૂકા ફૂલો, પાંદડા, દાંડી અને બીજનું લીલા-ભુરો મિશ્રણ છે. ગાંજાનું લાંબા સમય સુધી સેવન કરવાથી વ્યક્તિ તેનો વ્યસની બની જાય છે. હાલમાં, તેનું સેવન કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે તેમાં મોટાભાગના યુવાનો છે. યુવાનોને કોઈપણ દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ગાંજાના સતત સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે અને ઘણી બીમારીઓને જન્મ આપે છે. તે મગજની ચેતાના વિકાસ અને કાર્યોને અસર કરે છે. આનાથી આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર થવા લાગે છે અને આપણે સુસ્ત થઈ જઈએ છીએ.

કિશોરોમાં ગાંજાનું સેવન ખાસ કરીને ખતરનાક માનવામાં આવે છે કારણ કે કિશોરાવસ્થામાં તેમનું મગજ વિકાસ કરવાનું શરૂ કરે છે અને તેની તેમના મગજ પર ખરાબ અસર પડે છે અને મગજનો વિકાસ સરળતાથી થતો નથી. કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી મારિજુઆનાનું સતત સેવન IQ સ્તર ઘટાડી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તો તેને શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે છે અને તેની યાદશક્તિ પર અસર થઈ શકે છે. વ્યક્તિનું કામ, સામાજિક જીવન અને પરિવાર સાથેના સંબંધો પણ તેનાથી પ્રભાવિત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત, 8 લોકોને બચાવાયા
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
Bridge Collapses: મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા, હચમચાવી દે તેવી તસવીરો
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ગંભીરા બ્રિજની હૃદયસ્પર્શી યાદો, સંબંધો અને હજારો વિદ્યાર્થીઓના સપનાનો બન્યો હતો સેતુ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક ઓફ કરતાં જ પક્ષી સાથે ટકરાયું 175 મુસાફરો ભરેલું ઇન્ડિગો વિમાન, પટનામાં કરાવવી પડી ઇમર્જન્સી લેન્ડિંગ
શું તમે બ્લેક અંડરઆર્મ્સથી પરેશાન છો? આ ઘરેલું ઉપચારથી મળશે ચમત્કારિક પરિણામ
શું તમે બ્લેક અંડરઆર્મ્સથી પરેશાન છો? આ ઘરેલું ઉપચારથી મળશે ચમત્કારિક પરિણામ
Embed widget