શોધખોળ કરો

રાજ્યમાં નશાની હેરાફારીનો પર્દાફાશ, રાજકોટમાં 48 તો વલસાડમાં 56 કિલો ગાંજો ઝડપાયો

રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.

Cannabis in Gujarat: રાજ્યમાં ફરી એકવાર નશાની હેરાફેરી અને વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ, વલસાડ અને ભાવનગરથી ગાંજો ઝડપાયો છે. રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાની ખેતી કર્યાનો આરોપ છે.

તો વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.

ગાંજો લઈને આવનાર શખ્સ જંગલ વિસ્તારનો લાભ લઈને કાર મુકી ફરાર થયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 56 કિલો ગાંજો મળી આવ્યો છે. તો આ બાજુ ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.

ગાંજો એક પ્રકારનો નશો છે. ગાંજો વાસ્તવમાં કેનાબીસ સેટીવા નામના છોડના સૂકા ફૂલો, પાંદડા, દાંડી અને બીજનું લીલા-ભુરો મિશ્રણ છે. ગાંજાનું લાંબા સમય સુધી સેવન કરવાથી વ્યક્તિ તેનો વ્યસની બની જાય છે. હાલમાં, તેનું સેવન કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે તેમાં મોટાભાગના યુવાનો છે. યુવાનોને કોઈપણ દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ગાંજાના સતત સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે અને ઘણી બીમારીઓને જન્મ આપે છે. તે મગજની ચેતાના વિકાસ અને કાર્યોને અસર કરે છે. આનાથી આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર થવા લાગે છે અને આપણે સુસ્ત થઈ જઈએ છીએ.

કિશોરોમાં ગાંજાનું સેવન ખાસ કરીને ખતરનાક માનવામાં આવે છે કારણ કે કિશોરાવસ્થામાં તેમનું મગજ વિકાસ કરવાનું શરૂ કરે છે અને તેની તેમના મગજ પર ખરાબ અસર પડે છે અને મગજનો વિકાસ સરળતાથી થતો નથી. કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી મારિજુઆનાનું સતત સેવન IQ સ્તર ઘટાડી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તો તેને શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે છે અને તેની યાદશક્તિ પર અસર થઈ શકે છે. વ્યક્તિનું કામ, સામાજિક જીવન અને પરિવાર સાથેના સંબંધો પણ તેનાથી પ્રભાવિત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget