શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાથી થયાં એટલાં મોત કે સ્મશાનમાં પણ છે વેઈટિંગ, જ્યંતિ રવિએ શું કહ્યું ?

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સમગ્ર મામલે કબૂલાત કરતા જણાવ્યું કે, કોર્પોરેશન સાથે સ્મશાન ગૃહ બાબતે ચર્ચા થઈ છે. સ્મશાન ગૃહ માટે વ્યવસ્થાઓ વધારવામાં આવશે.

રાજકોટઃ રાજકોટ માટે સૌથી મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોવિડ હૉસ્પિટલ બહાર મૃતદેહોની કતાર લાગી છે. માત્ર 15 મિનિટમાં જ હોસ્પિટલ બહાર ત્રણ મૃતદેહ નીકળ્યા હતા. કોવિડ હોસ્પિટલ બહાર એક પછી એક મૃતદેહો નીકળતા મૃતકના પરિવારોનો આક્રંદ જોવા મળ્યો અને પરિવારના સભ્યો પ્રશાસન વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ કોવિડ હોસ્પિટલ બહાર મૃતદેહોની કતારને લઈને ABP અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સમગ્ર મામલે કબૂલાત કરતા જણાવ્યું કે, કોર્પોરેશન સાથે સ્મશાન ગૃહ બાબતે ચર્ચા થઈ છે. સ્મશાન ગૃહ માટે વ્યવસ્થાઓ વધારવામાં આવશે. દર્દીઓના સ્વજનોનો આરોપ છે કે મૃત્યુ અંગે યોગ્ય જાણકારી ન મળી, તો બીજી તરફ અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિનો દાવો છે કે સ્મશાન ગૃહમાં છેલ્લા 12 કલાકમાં 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા. મૃતદેહોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાયા હોવાનો દાવો કરાયો છે. જોકે, જેમના અંતિમ સંસ્કાર કરાયા એ કોરોનાના જ દર્દી હતા કે નહીં, તેની કોઈ પુષ્ટી નથી. દર્દીઓના સગાઓએ કહ્યું હતું કે તેમના સ્વજનો મૃત્યુ થઈ ગયાની જાણ આજે સવારે પાંચ વાગ્યે કરવામાં આવી હતી. જોકે તેઓ સિવિલ ખાતે પહોંચ્યા ત્યારે તેમને કોઈ યોગ્ય જાણકારી આપવામાં આવી નથી. તેમજ સ્વજનોએ તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ રાજકોટના રામનાથપરા સ્મશાનમાં વેઇટિંગમાં વારો આવતો હોય છે. રામનાથપરા સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે, કોવિડ ના પ્રોટોકોલ મુજબ રાત્રીના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાંમાં આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં 100થી વધુ દર્દીના મૃત્યુ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget