શોધખોળ કરો

Heart Attack: જેતપુરના જૂની સાંકળી ગામે પરપ્રાંતિય શ્રમિકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ

શ્રમિકને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. રાજકોટના જેતપુરમાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક આવ્યો હતો. જૂની સાંકળી ગામે સીમ વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિકને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જીતન ગંગારામ નામના 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.

તાજેતરમાં ડો.શ્રીરામ નેનેએ ઈન્સ્ટા પર આ પોસ્ટ શેર કરી હતી. જેના અનુસાર સોમવારે હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. ડો.નેને પહેલા સોમવારે હાર્ટ એટેક આવવા પર ચર્ચા થઈ ચૂકી છે. આ પહેલા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ દિવસે હાર્ટ એટેકનો ખતરો 13 ટકા વધારે રહે છે. તેને બ્લ્યૂ મંડે પણ કહેવાય છે.   આ ખતરો સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. જોકે, આ વિશેની કોઈ માહિતી નથી. આ માત્ર અનુમાન છે કે, સોમવારે સવારે ઉઠવા પર બ્લડ કોર્ટિસોલ અને હોર્મોન વધી ગયેલા હોય છે. આ કારણે સર્કાડિયન રિદન હોઈ શકે છે. જે ઉંઘવા અને ઉઠવાની સાઈકલને યોગ્ય રાખવાનું કામ કરે છે. જાણકારો કહે છે કે, ઊંઘવા અને ઉઠવાની સાયકલમાં બદલાવ સૌથી વધુ સ્વાસ્થય પર અસર કરે છે.  

ડોક્ટર નેનેએ જણાવ્યું કે, વિકેન્ડ પર મોટોભાગના લોકો પોતાના પસંદગીના શો જુએ છે અથવા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જતા હોય છે. જેને કારણે મોડી રાતે ઊંઘ કરતા હોય છે. આ કારણે તેમને ઊંઘવાની અને જાગવાના સમયમાં અસર થાય છે અને સર્કાડિયન રિદનમાં બદલાવ થવાથી રવિવારે રાતની ઊંઘ ઓછી હોય છે. જેને સોશિયલ જેટ લૈગ કહેવાય છે. ઊંઘ ઓછી આવવી કે ખરાબ આવવાથી બ્લડ પ્રેશર કે કોર્ટિસોલનું લેવલ વધે છે. જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.

આ ઉપરાંત એક કરતાં વધુ અભ્યાસમાં હાર્ટ એટેકના કેસ અને ગુસ્સા વચ્ચે કંઈક સંબંધ જોવા મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે લાગણીઓ હૃદયની નળીઓને સંકુચિત કરીને અને રક્ત પ્રવાહને અસર કરીને બે કલાકની અંદર જોખમ વધારે છે. વધુ તીવ્ર અથવા વારંવાર ગુસ્સો આવવો, સમયાંતરે વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યનું જોખમ વધારે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
Blood Test for Brain Cancer: માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Rains Update | બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ?Hun to Bolish | હું તો બોલીશ | ભાજપમાં થપ્પડકાંડHun to Bolish | હું તો બોલીશ | ભાજપના નેતાએ કર્યો મોટો પર્દાફાશHun to Bolish | હું તો બોલીશ | ડૂબતું નગર, ઉંઘતી પાલિકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
Blood Test for Brain Cancer: માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
વડોદરામાં પૂર મુદ્દે ભાજપના નગરસેવક થયા ભાવુક, કહ્યું - મારા વિસ્તારમાં લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી
વડોદરામાં પૂર મુદ્દે ભાજપના નગરસેવક થયા ભાવુક, કહ્યું - મારા વિસ્તારમાં લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી
Gujarat Weather: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, ગુજરાતના 136 તાલુકા તરબોળ, માણસામાં સૌથી વધુ 4.29 ઇંચ ખાબક્યો
Gujarat Weather: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, ગુજરાતના 136 તાલુકા તરબોળ, માણસામાં સૌથી વધુ 4.29 ઇંચ ખાબક્યો
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો 25મો મેડલ, જૂડોમાં કપિલ પરમારે કરી કમાલ
Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો 25મો મેડલ, જૂડોમાં કપિલ પરમારે કરી કમાલ
રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય, આ કામ માટે લેવાતી 300ની ફી ઘટાડીને 50 કરાઈ
રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય, આ કામ માટે લેવાતી 300ની ફી ઘટાડીને 50 કરાઈ
Embed widget