શોધખોળ કરો

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશેઃ વજુભાઈ વાળાનો દાવો

રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તા સાચું બળ ગણાવી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા.

Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશે. આ મોટો દાવો ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યો છે. રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તા સાચું બળ ગણાવી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ પણ વિપક્ષના ધારાસભ્યો રાજીનામા આપવાના છે. કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવા વજુભાઈએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે, આજથી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરાઇ છે, આજથી તમામ 26 લોકસભા ચૂંટણી માટેના કાર્યલયોનું ઉદઘાટન કરવામાં આવશે. આ અંતર્ગત અહીં જાણો કઇ લોકસભા બેઠકની જવાબદારી કોને સોંપવામાં આવી છે.....

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે અમદાવાદ પહોંચ્યા છે, આ પહેલા અમદાવાદ એયરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેઓ આજે લોકસભાની તમામ 26 બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે. ઉદઘાટનને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.

ખાસ વાત છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટો સંકલ્પ આપ્યો છે. ગુજરાતમાં તમામ કાર્યાલયોના ઉદઘાટનમાં મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મંત્રી, પ્રદેશ ભાજપના નેતાઓને આ તમામ જવાબદારી સોંપાઇ છે. સાંસદો, પૂર્વ સાંસદો, MLA પણ કાર્યાલય પર હાજર રહેશે.

તમામ 26 બેઠકોના કાર્યાલયની ઉદઘાટનની જવાબદારી સોંપાઇ છે. જુઓ અહીં...

- કચ્છમાં પ્રફુલ પાનસેરીયા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેશે.

- બનાસકાંઠા બેઠક પર પાલનપુરમાં કાર્યાલય ખોલાશે.

- બનાસકાંઠાના કાર્યાલયમાં અમિત ઠાકર, જેન્તી કવાડીયા હાજર રહેશે.

- પાટણમાં બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર હાજર રહેશે.

- મહેસાણામાં વર્ષાબેન દોશી કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેશે.

- સાબરકાંઠાના કાર્યાલય ઉદઘાટનમાં રજની પટેલ, બાબુ જેબલિયા હાજર રહેશે.

- અમદાવાદ પૂર્વના કાર્યાલયમાં જગદીશ વિશ્વકર્મા, હિતેશ પટેલ હાજર રહેશે.

- અમદાવાદ પશ્ચિમમાં ભાનુબેન બાબરીયા, જયશ્રીબેન દેસાઈ હાજર રહેશે.

- સુરેન્દ્રનગરના કાર્યાલયમાં મુળુભાઈ બેરા, જવેરીલાલ ઠકરાર હાજર રહેશે.

- રાજકોટના કાર્યાલય પર આર.સી.ફળદુ, ભરત બોઘરાને જવાબદારી સોંપવામાં આવી છે.

- પોરબંદરના કાર્યાલયમાં વિનોદ ચાવડા, બિનાબેન આચાર્ય હાજર રહેશે.

- જામનગરના કાર્યાલયના ઉદઘાટનની રાઘવજી પટેલને જવાબદારી સોંપાઇ છે.

- અમરેલી કાર્યાલયના ઉદઘાટનની જવાબદારી કૌશિક વેકરીયાની છે.

- ભાવનગરમાં મનસુખ માંડવીયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહેશે.

- આણંદ કાર્યાલય પર નરહરિ અમીન, જ્હાનવી વ્યાસ હાજર રહેશે.

- ખેડા કાર્યાલય પર ગોરધન ઝડફીયા, પ્રશાંત કોરાટ હાજર રહેશે.

- પંચમહાલ કાર્યાલય પર બચુ ખાબડ, ગૌતમ ગેડીયા હાજર રહેશે.

- દાહોદ કાર્યાલય પર કુબેર ડિંડોર, કૈલાસબેન પરમાર હાજર રહેશે.

- વડોદરા કાર્યાલય પર પ્રદીપસિંહ જાડેજા, કૌશલ્યા કુંવરબા હાજર રહેશે.

- ભરૂચ કાર્યાલય પર મુકેશ પટેલ, રમીલાબેન બારા હાજર રહેશે.

- બારડોલી કાર્યાલય પર કુંવરજી હળપતી, ઉષાબેન પટેલ હાજર રહેશે.

- સુરત કાર્યાલય પર જ્યોતિબેન પંડ્યા, શીતલ સોની હાજર રહેશે.

- નવસારી કાર્યાલય પર બાલુ શુક્લા, જનક પટેલ હાજર રહેશે.

- વલસાડ કાર્યાલય પર કનુદેસાઈ, હિમાશું પટેલ હાજર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget