શોધખોળ કરો

નરેશ પટેલે કોંગ્રેસ કે આપ નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત, જાણો શું કહ્યું?

નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે.

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં, પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે. નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે. યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઇશ. કઈ પાર્ટીમાં કેવી રીતે જોડાઇશ તે કહેવું આ સમયે યોગ્ય નથી. તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસો પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે, ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સમય આવ્યે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે, તે ખબર પડશે. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે માત્ર પાટીદારો સામેના કેસો નહીં, પણ તમામ સમાજના દીકરા-દીકરીઓ સામેના કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે. 

નરેશ પટેલે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અને આપે મને આમંત્રણ આપ્યું છે. દિલ્લીનો પ્રવાસ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો. દિલ્લીમાં કોઈ રાજકીય બેઠક થી નથી. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની વાત મેં સરકારમાં કરી છે. સરકારે પણ મારી વાતને હકારાત્મક રીતે લીધી છે. મીડિયાએ તેમને પૂછ્યું હતું કે, ચર્ચાઓ ચાલી રહી છે કે, નરેશભાઈની માંગ એવી છે કે, પાટીદાર આંદોલનમાં  જે કેસ થયા છે, તે પરત ખેંચ્યા બાદ જ રાજકીય પ્રવેશ કરશે, શું કહેશો? 

આ પ્રશ્નના જવાબમાં નરેશ પટેલે કહ્યું કે, આવી કોઈ વાત નથી. જે પાટીદાર કેસો કરતાં દરેક સમાજના જે ખોટા કેસો થયા છે, એની મેં માંગ કરેલી છે અને આને ખૂબ પોઝીટિવ રીતે સરકારે લીધેલું છે. છેલ્લા 2 દિવસમાં સરકારી ધોરણે પણ આમાં હિલચાલ જોવા મળી છે. સીએમ ઓફિસથી ડાયરેક્ટ આદેશો આપવામાં આવે છે કે, દરેક સમાજના દીકરા-દીકરી પર છે, તેને તાત્કાલિક પણે વિધિ કરીને તાત્કાલિક પાછા ખેંચે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Uddhav Thackeray Big Setback: મહારાષ્ટ્રમાં ‘ખેલા હોવે’! ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શું 6 સાંસદો છોડશે સાથ?
Uddhav Thackeray Big Setback: મહારાષ્ટ્રમાં ‘ખેલા હોવે’! ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શું 6 સાંસદો છોડશે સાથ?
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
Embed widget