શોધખોળ કરો

રાજકોટમાં ક્યા ટોચના પોલીસ અધિકારી સહિત 90 પોલીસોને થયો કોરોના ? જાણો શું લેવાયાં પગલાં ?

રાજકોટના ડીસીપી ઝોન 02 મનોહરસિંહ જાડેજા સહિત કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન થયા છે. રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે રાજકોટની પરિસ્થિતિ વણસી છે. રાજકોટના ડીસીપી ઝોન 02 મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja) સહિત કુલ 90 પોલીસકર્મીઓને (Rajkot Police) કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન (Home Quarantine) થયા છે. 

રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. સ્મશાન માટે કોન્ટ્રોલરૂપ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં દર એક પોઝિટિવ આવે ત્યારે 70 લોકોને કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવે છે. અમૃત ઘાયલ હોલમાં ત્રણ દિવસમાં 200 ઓક્સિજન બેડ શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, માસ્ક એ જ લોકડાઉન. હજી લોકો દંડથી બચવા માટે માસ્ક પહેરે છે. અમને દંડ લેવામાં જરાય રસ નથી, તેમ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.  

માણસની માણસાઈ તો ગઈ, જીવ ગયા પછી પોતાના સ્વજનોના અસ્થિલેવા માટે લોકો નથી આવતા. પોતાના સ્વજનોને મર્યા પછી ભૂલ્યા કે કોરોનાના ડરના કારણે લોકો અસ્થિ લેવા માટે નથી આવતા. રાજકોટ(Rajkot)માં શહેરના સ્મશાનમાં અસ્થીઓનો ભરાવો થયો છે. 

 

રામનાથપરા સ્મશાન (Ramnathpara smashan)માં 4 મહિનામાં 500 જેટલા અસ્થીઓ મહિનાઓથી પડયા છે. સરગમ કલબ સંચાલીત રામનાથપરા સ્મશાન દ્વારા દર છ મહિને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. રાજકોટ રામનાથપરા સ્મશાનના સંચાલક ગુણુંભાઈ ડેલાવાળાએ કહ્યું કોવિડ ગાઈડલાઈન મુજબ દરરોજ 40 લોકોનો રામનાથપરામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રામનાથપરા સ્મશાનમાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.

 

ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.

 

 

 

બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

 

 

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

 

 

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil hospital)ના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Embed widget