શોધખોળ કરો

Rajkot: રાજકોટમા ભારે વાહનો માટે 'નો એન્ટ્રી' , સવારે આટલા વાગ્યાથી જ અવરજવર પર લાગ્યો પ્રતિબંધ

Rajkot: રાજકોટ આજથી 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Rajkot: રાજકોટ આજથી 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લક્ઝરી બસ તેમજ ભારે વાહનનો પ્રવેશ કરી શકશે નહીં. પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું પરંતુ બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું. પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું હતું.  માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસ પ્રવેશ મળશે નહીં. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે.

પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે બહાર પાડેલું જાહેરનામું અંતે અમલમાં આવ્યું હતું. પાંચ મહિના અગાઉ રાજકીય દબાણના લીધે આ જાહેરનામું અટકાવી દેવાયું હતું. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે. શહેરમાં બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું હતું.

તાજેતરમાં રાજકોટમાં આરટીઓ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં 600થી વધુ વાહનધારકોને આરટીઓ વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે શહેરમાં કેટલાય વાહન ચાલકો એવા છે જેઓએ વાહન વેરો નથી ભર્યો આવા વાહન માલિકો પર હવે આરટીઓની તવાઇ શરૂ થઇ છે. શહેરમાં આરટીઓ વિભાગે વેરો વસૂલ કરવા માટે 600 વાહન ધારકોને નોટિસ ફટકારી છે, જેમાં ૧૮.૮૩ કરોડથી વધુનો વાહન વેરો બાકી બોલી રહ્યો છે. આમાં શૈક્ષણિક બસને 7 નોટિસ ઇસ્યૂ કરાઇ છે, અને ટેક્સીઓને 105 નૉટિસ ફટકારવામાં આવી છે. વેરો ના ભરવાના લિસ્ટમાં સૌથી વધુ બસો છે, જેમની પાસેથી ભારે ભરખમ વેરો વસૂલવાનો બાકી છે.

રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
ABP અસ્મિતા મહાસન્માન પુરસ્કાર 2025: ડૉ. જે.એમ. વ્યાસને મહાસન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: સાહિત્ય ક્ષેત્રે રાજેંદ્ર શુક્લનું સન્માન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: આણંદ,વડોદરા અને છોટાઉદેપુરમાં આજે તુટી પડશે ધોધમાર વરસાદ
Embed widget