શોધખોળ કરો

Bageshwardham Sarkar Gujarat Visit: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

વિજય રૂપાણીએ કહ્યું, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ

Bageshwardhar Sarkar Dhirendra Shastri: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે અમદાવાદ આવશે. જ્યાંથી તેઓ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે પહોંચશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. અહીં ત્રણ કલાકના રોકાણ બાદ સાંજે છ વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે. આ દરમિયાન રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.

શું કહ્યું વિજય રૂપાણીએ

રાજકોટમાં બાબા બાગેશ્વેર અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારનું વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે ધર્મ એ શ્રદ્ધા નો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીનાં મત મેળવવા હંમેશા તુષ્ટિકરણ કરે છે.

રાજકોટમાં ક્યારે છે કાર્યક્રમ

1 જૂનથી બે દિવસ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાનો દરબાર ભરાશે. દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. તો 3 જૂનના વડોદરામાં બાબાનો એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા

પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.

મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ

થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Advertisement

વિડિઓઝ

Aaj no Muddo : આજનો મુદ્દો : દારૂબંધીના નામે દંભ કેમ?
Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
Income Tax Bill 2025: લોકસભામાં સિલેક્ટ કમિટીનો રિપોર્ટ રજૂ, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ સહિત ઘણા ફેરફારોની ભલામણ
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
સરકારનો મોટો નિર્ણય, હવે યૂઝર્સ UPI થી જ ઉપાડી શકશે ગોલ્ડ લોન અને FDના પૈસા 
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
Bhavnagar Rain: તળાજા અને મહુવા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ખુશખુશાલ
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
બાળકો સાથે હોય તો થઈ જાવ સાવધાન! ટ્રાફિક નિયમો તોડવા પર આપવો પડશે ડબલ દંડ 
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
પાકિસ્તાને જ ખોલી ટ્રમ્પના દાવાની પોલ, પાક નિષ્ણાતે કહ્યું - અમે 5 પ્લેન તોડ્યા જ નથી, ભારત તો યુદ્ધ રોકવાના મુડમાં હતું જ નહીં....
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
'ટ્રમ્પે 24 વાર…' ઓપરેશન સિંદૂર પર ખડગે આટલું બોલ્યા ત્યાં તો જે.પી. નડ્ડા બગડ્યા, કહ્યું – ‘બૂમો ન પાડો....’
Embed widget