શોધખોળ કરો

ગૃહિણીઓને રાહત, તહેવારોની સિઝન પહેલા શાકભાજીના ભાવ 10 થી 20 રૂપિયા ઘટ્યા, જાણો આજનો રેટ

હાલમાં ટામેટાં અને આદુને છોડી દેતા તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા જેવો એક કિલોએ ઘટાડો નોંધાયો છે.

Vegetable Price Drop: રાજ્યમાં ગૃહિણીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, ગૃહિણીઓને શાકભાજીના ભાવમાં રાહત મળી છે, હાલમાં નવા રેટ પ્રમાણે, રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં રાહત મળી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા કિલોએ ઘટાડો થયો છે. છેલ્લા આઠ દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લેતા શાકભાજીના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. ખાસ વાત છે કે, હાલમાં ટામેટાં અને આદુને છોડી દેતા તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા જેવો એક કિલોએ ઘટાડો નોંધાયો છે. જો વરસાદ વિરામ લેશે તો આગામી દિવસોમાં હજી પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થઇ શકે છે. 


ગૃહિણીઓને રાહત, તહેવારોની સિઝન પહેલા શાકભાજીના ભાવ 10 થી 20 રૂપિયા ઘટ્યા, જાણો આજનો રેટ

હાલના શાકભાજી ભાવ..

રીંગણા - 40 રૂપિયા 
ભીંડા - 50 રૂપિયા
મરચાં - 60 રૂપિયા
ગુવાર -120 રૂપિયા
ફૂલાવર - 80 રૂપિયા
આદુ - 200 રૂપિયા
કોબીજ - 50 રૂપિયા
કારેલા - 50 રૂપિયા
ટમેટા -180 થી 200

ટામેટાના ભાવમાં ફરી ભડકો

રસોડામાં દરરોજ વપરાતું ટામેટું હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યું છે. ઘણા જથ્થાબંધ વેપારીઓના મતે ટામેટાના ભાવમાં આગ વધુ ભડકશે અને તેના છૂટક ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. છેલ્લા એક મહિનાથી ટામેટાના ભાવ આસમાને છે. ભારે વરસાદને કારણે ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને પુરવઠામાં સમસ્યાઓના કારણે આવું થઈ રહ્યું છે.

ટામેટાના ભાવ કેમ વધી રહ્યા છે

એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC)ના સભ્ય કૌશિકે પીટીઆઈને જણાવ્યું હતું કે ટામેટા, કેપ્સીકમ જેવા અનેક મોસમી શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ તેમના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે જથ્થાબંધ બજારના વિક્રેતાઓ સહિત છૂટક વિક્રેતાઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટામેટાના ભાવ હવે પ્રતિ કિલો રૂ. 160થી વધીને રૂ.220 પ્રતિ કિલો થઇ ગયા છે અને તેના કારણે છૂટક બજારમાં પણ આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

મધર ડેરીમાં ટામેટા 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે

ટામેટાના ભાવ 300 રૂપિયા સુધી જઈ શકે છે

શાકમાર્કેટના હોલસેલરોનું કહેવું છે કે આગામી સમયમાં ટામેટાંનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પણ ટામેટાં રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જો કે, ટામેટાંના વધતા ભાવને જોતા, કેન્દ્ર સરકાર એક્શનમાં આવી અને 14મી જુલાઈથી ઓછા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું. આના કારણે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ટામેટાંના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ સપ્લાયમાં ઘટાડો થયા પછી તે ફરીથી ચઢવા લાગ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે ટામેટાની કિંમત 203 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે મધર ડેરીના સફલ સ્ટોર્સ પર તે 259 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget