શોધખોળ કરો

સુરતમાં માતાપિતાની સેવા માટે લગ્ન ન કરનાર યુવતી બની માતા, IVFની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો

સુરતની અપરણિત યુવતીએ આઈવીએફની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો

સુરતઃ સુરતની અપરણિત યુવતીએ આઈવીએફની મદદથી જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેણે સિંગલ માતા બની સમાજ માટે એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. યોગ્ય મુરતીયો પસંદ ન આવતા લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ યુવતીને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે આઈવીએફની સારવાર બાદ બુધવારે જોડિયા બાળક-બાળકીને જન્મ આપ્યો હતો. નાનપુરાના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અનેક માટે પ્રેરણારૂપ બની છે.

સુરતની એક યુવતીએ IVFની મદદથી જોડિયા બાળકોને જન્મ આપી માતા બની છે. કોઈ પણ મુરતિયો પસંદ ન આવતાં લગ્ન ન કરવાનો નિર્ણય લીધા બાદ તેને માતા બનવાની ઝંખના થઈ હતી. આખરે IVFની સારવાર બાદ બુધવારે જોડિયા બાળક-બાળકીને સિઝર દ્વારા જન્મ આપ્યો છે. નાનપુરા રહેતા પ્રતિષ્ઠીત દેસાઈ પરિવારના 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટા બહેન માટે માતા-પિતા યોગ્ય પાત્ર શોધતા હતા. જે ન મળતા તેમજ માતા-પિતાની પણ સારસંભાળ લઈ શકે અને દીકરીઓ દીકરા સમાન બની સેવા કરી શકે તે માટે બંને બહેનોએ આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોટી બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાયી થઈ અને ડિમ્પલ એન્જિનિયર બની માતા-પિતા સાથે રહે છે. પણ સ્ત્રી હોય એટલે માતૃત્વની ઝંખના હૃદયમાં જીવંત હોય જ. આખરે ડિમ્પલે મહત્વનો નિર્ણય કર્યો અને IVFની મદદથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું.

સામાજિક રીતે આ નિર્ણય ખૂબ જ પડકારજનક હતો છતાં મક્કમ મને નાણાવટની સાંઈ-પુજા હોસ્પિટલનો સંપર્ક કરી ડો. રાજીવ પ્રધાન અને ડો. રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરાવી. બે સાયકલના પ્રયાસ બાદ ડિમ્પલ ગર્ભવતી થઈ અને બુધવારે પ્રસુતી થઈ હતી. જેમાં એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો છે. ડિમ્પલના આ નિર્ણય વિધવા, ત્યકતા તેમજ અપરણીત મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે. બીમારી સામે લડવા બાળકોના સ્ટેમસેલ સ્ટોર કરાયા હતા.બંને બાળકોને ભવિષ્યમાં શારીરીક તકલીફ ન પડે તે માટે સ્ટેમસેલ સ્ટોર કર્યા છે. ડો. પ્રધાને જણાવ્યું કે લીમ્ફોમા કે કેન્સર જેવી જીનેટીક બીમારી થાય તો સ્ટેમસેલની મદદથી સારવાર આપી શકાય છે. સ્ટેમસેલ ગંભીર બીમારીમાં ખૂબ ઉપયોગી છે.

મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget