શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં માત્ર 7 દિવસમાં કોરોનાથી 100 દર્દીઓના મોત થતાં મચી ગયો હાહાકાર

છેલ્લા સાત દિવસ એટલે તારીખ 19થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે 179 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોનાં સત્તાવાર મોત નોંધાતા હાહાકાર મચી ગયો

સુરત: છેલ્લા સાત દિવસ એટલે તારીખ 19થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે 179 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોનાં સત્તાવાર મોત નોંધાતા હાહાકાર મચી રહ્યો છે. આમ 56 ટકા મોત સુરતના છે. આ સાત દિવસના કોરોનાના આંકડા જોઈએ તો અમદાવાદને પાછળ મુકીને સુરત આગળ છે. સુરતીઓ માટે જ નહીં પરંતુ રાજ્ય સરકાર માટે પણ સુરતના મોતના આંકડા ચોંકાવનારા છે. સુરતમાં કોરોના રાક્ષસી પંજો કસી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં 7236 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે તેમાં માત્ર સુરતમાં જ 27.14 ટકા એટલે 1964 દર્દી નોંધાયા છે. સુરતમાં આ આંકડો સરકારી ચોપડે નોંધાયેલા સત્તાવાર જાહેર કરેલા દર્દીનો છે પરંતુ સીટી સ્કેન કે અન્ય રીતે પોઝિટિવ થઈ ઘરે સારવાર કરતાં અથવા મ્યુનિ. તંત્રએ સેલ્ફ આઈસોલેસન કરેલા દર્દીનો આંકડો હજી ઘણો મોટો હોઈ શકે છે. મહાનગરપાલિકા અને રાજ્ય સકારનું તંત્ર નિષ્ફળ જવા સાથે સુરતીઓ પણ તકેદારી રાખતા ન હોવાથી સુરતમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. કેસ વધવા કરતાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મોત સુરતમાં થતાં હોવાથી ચિંતામાં વધારો થયો છે. અહીં કોરોનાના મોતનું તાંડવ થઈ રહ્યું છે, તે સરકારી આંકડા જ સાબિત કરે છે. સુરતમાં 19 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રોજના 14 લોકોનાં સરેરાશ મોત થયા છે, જેમાં 21 જુલાઈએ સૌથી વધુ 21 મોત અને 25 જુલાઈએ સૌથી ઓછા 11 મોત થયા છે. છેલ્લા સાત દિવસમાં આખા ગુજરાતમાં 179 મોત નોંધાયા છે, જેમાંથી માત્ર સુરતમાં જ 100 મોત એટલે કુલ મોતના 56.17 ટકા મોત નોંધાતા હાહાકાર મચી ગયો છે. આટલા મોત છતાં પણ હજી અનેક સુરતીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જ ફરી રહ્યાં છે. જો સુરતીઓ તકેદારી નહીં રાખે અને વહિવટી તંત્ર ન જાગે તો કોરોના હજી પણ વધુ ઘાતક થઈ શકે અને મોતનું પ્રમાણ હજી પણ વધી શકે એમ છે. ગુજરાતના કુલ કેસના 21.87 ટકા દર્દી સુરતના સુરતમાં 19 માર્ચે વિદેશથી આવેલી યુવતિને કોરોના આવ્યા બાદ 25 જુલાઈ સુધીમાં 11,969 કોરોના કેસ થઈ ગયા છે. આખા ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 25 જુલાઇ સુધીમાં 54,712 હતી તેમાંથી સુરતના 11,969 કેસ એટલે 21.87 ટકા દર્દી માત્ર સુરતમાં જ છે. આ સત્તાવાર આંકડા છે. સીટી સ્કેન અને સેલ્ફ આઈસોલેશન થતાં દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો આ આંક હજી પણ ઘણો વધુ જાહેર થઈ શકે છે. ગુજરાતના કુલ મોત 2305, સુરતમાં 532 મોત શનિવારે સાંજ સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 54712 અને 2305 મોત નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 532 લોકોની જીંદગી કોરોનામાં હોમાઈ ગઈ છે. જે ગુજરાતના અત્યાર સુધીના મૃત્યુ આંકમાં 23.08 ટકા છે. સુરતમાં મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તંત્ર અને સુરતીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે થતાં અંતિમ સંસ્કારનો આંકડો ઘણો મોટો ગુજરાતમાં સૌથી પહેલું કોરોનાથી મોત 22માર્ચના રોજ સુરતમાં હીરાના વેપારીનું થયું હતું. ત્યારથી તા.25 જુલાઇ સુધીમાં સુરતમાં કોરોનાથી 532 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તો કોરોના પોઝિટિવથી જીવ ગુમાવનારાઓની સત્તાવાર યાદી સરકારી તંત્રએ જાહેર કરી છે તે છે,પરંતુ અત્યાર સુધીમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે આંકડો સરકાર હજી પણ જાહેર કરતી નથી. સુરતમાં સત્તાવાર આંક સાથે મ્યુનિ. તંત્ર કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા દર્દીના અંતિમ સંસ્કાર કરે તે આંક જાહેર કરે તો તે આંક ઘણો જ મોટો બહાર આવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
પૈસા રાખજો તૈયાર, શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોની આ શર્સ પર રહેશ નજર, જુઓ લિસ્ટ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
Embed widget