શોધખોળ કરો
Surat: આ દિગ્ગજ નેતાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, આમ આદમી પાર્ટીમાં જોડાયા
સુરતના લોકોએ આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને વિપક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો આવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ-શો કરીને સુરતના લોકોનો આભાર માન્યો હતો.

તસવીર ટ્વિટર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને એક પણ બેઠક જીતવામાં સફળતા મળી નથી. કૉંગ્રેસની આ હાર બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વધુ એક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સુરતના વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાની ચૂંટણીમાં હાર થઇ હતી. ત્યારબાદ હવે તેમણે પક્ષના તમામ હોદ્દાપરથી પરથી અને પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. દિનેશ કાછડીયા આપમાં જોડાઈ ગયા છે. દિનેશ કાછડિયા કૉંગ્રેસમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમીન પાર્ટીમાં જોડાઈ ગયા છે. દિનેશ કાછડિયાએ રાજીનામાંમાં લખ્યું છે કે, દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી ઐતિહાસિક કોંગ્રેસ પાર્ટીએ મારા રાજનૈતિક જીવનને ઘણુ આપ્યું, પાંચ વખત અલગ-અલગ સ્તરે ચૂંટણીઓ લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો અને સાથે સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. સુરતના લોકોએ આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને વિપક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો આવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ-શો કરીને સુરતના લોકોનો આભાર માન્યો હતો. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થયા પછી એક પછી આગેવાનો અને હોદ્દેદારો પોતાના રાજીનામાં ધરી રહ્યા છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















