શોધખોળ કરો

LokSabha: નિલેશ કુંભાણીને સકંજામાં લેવાનો તખ્તો, કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી કરશે, અભિષેક મનુ સિંઘવી સાથે થઇ બેઠક

છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર જબરદસ્ત ડ્રામા શરૂ થયો હતો, તે અંતે ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત મળ્યા સુધી ચાલ્યો હતો

Lok Sabha Election 2024: ગુજરાતમાં આગામી 7મે એ થનારા લોકસભાના મતદાન પહેલા રાજનીતિ વધુ તેજ થઇ ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે હવે સુરતના પક્ષપલટુ નેતા નિલેશ કુંભાણીને સકંજામાં લેવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. તાજા અપડેટ પ્રમાણે, કોંગ્રેસ પાર્ટી હવે નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. 

છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર જબરદસ્ત ડ્રામા શરૂ થયો હતો, તે અંતે ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત મળ્યા સુધી ચાલ્યો હતો. ખરેખરમાં, સુરત બેઠક પર કોંગ્રેસે સીનિયર નેતા નિલેશ કુંભાણીને લોકસભાની ટિકીટ આપી હતી, જોકે અંત ઘડીએ નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહીઓ ખોટી હોવાની વાત સામે આવતા ફોર્મ રદ્દ થયુ હતુ અને સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં મુકેશ દલાલ પ્રથમ સાંસદ બન્યા હતા. આ સાથે જ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને આ આખી રમતમાં નિલેશ કુંભાણી પર શક ગયો અને હવે આ મામલે આગળ કાર્યવાહી કરવાની વાત સામે આવી છે. 

તાજા અપડેટ પ્રમાણે, કોંગ્રેસ પાર્ટી સુરતના નિલેશ કુંભાણી વિરૂદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી કરશે, આ માટે પાર્ટીએ તખ્તો તૈયાર કરી લીધો છે. કોંગ્રેસના સીનિયર નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં આ મુ્દ્દે ચર્ચા થઇ હોવાની વાત સામે આવી છે. અભિષેક મનુ સિંઘવીની આગેવાનીમાં કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, ફૉર્મ રદ્દ થવાને લઈ કોંગ્રેસ કુંભાણી સામે પહેલાથી જ આકરા મૂડમાં હતી. 

નિલેષ કુંભાણીના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું આપ્યું મોટું નિવેદન જાણો?

લોકસભા ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ લાપતા બન્યા હતા. તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન નિલેષ કુંભાણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આ મુદ્દો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો છે. હું વકીલ છું, જે મેટર સબ જ્યુડીશ થવા જઈ રહી છે તે મુદ્દે હાલ હું નહીં બોલું . નિલેષ કુંભાણીની ભલામણ બદઇરાદે થઈ છે કે કેમ તેની તપાસ થશે. આ બાબતે પીસ્ટા પીંજણ કરવી અયોગ્ય છે. હાલ કોઈએ આ બાબતે કૂદી પડવું ના જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જુના આંદોલનને રાજપૂત સમાજના વિરોધ સાથે જોડવાનો પ્રયાસ કરી કહ્યું, સત્તામાં રહેલી સરકાર કોઈ મુદ્દે સંવાદના બદલે સંઘર્ષ કરે છે. પાટીદાર આંદોલનમાં સરકારે સંવાદના બદલે સંઘર્ષ કર્યો. જૂનાગઢમાં કોળી સમાજની દીકરીના મૃત્યુના આંદોલનમાં પણ સંઘર્ષ કર્યો. નાના અનુસૂચિત જાતિના સમાજના આંદોલનમાં પણ સંવાદના બદલે સંઘર્ષ કર્યો. દેશની બહેન - દીકરીના અપમાનમાં પણ અહંકાર રાખી પાઘડી ઉછળી. ઉમેદવારે જે શબ્દો ઉચ્ચાર્યા છે, તેની માફી ના હોય શકે.

નિલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ  નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ  પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખે  સસ્પેન્ડ  કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો  નિર્ણય લીધો છે , નિલેશ કુભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેઓ સતત શંકાના ઘેરામાં હતા. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃતિનો પણ આરોપ લાગ્યો છે. પાર્ટીએ આજે તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે.સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે રદ થયેલા નિલેશ કુભાણીને લઇને કોંગ્રેસ પક્ષ ખૂબ જ નારાજ છે તેમના પર પક્ષ સાથે ગદ્દારી કર્યાના આરોપ લાગ્યાં છે. તેમની ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ આખરે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે. કુંભાણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

નિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, જેથી  કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. આ તમામ ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની ભાજપ સાથે મીલિભગત હોવાના આક્ષેપ લાગતા આખરે કોંગ્રેસ નિલેશ કુંભાણી સાથે છેડો ફાડતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget