શોધખોળ કરો

Surat: ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થતા ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને, સીએમને પત્ર લખી જાણો શું કરી માગ

સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ લાલ આંખ કરી છે. અનેક સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ લાલ આંખ કરી છે. અનેક સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભેળસેળ અંગેના કાયદામાં સુધારો કરવા પણ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે. દુકાનદારો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. બનાવટી ચીજ વસ્તુઓના પ્રમાણમાં પણ વધારો થયો છે. હાલના કાયદામાં સજાની જોગવાઇ ખૂબ ઓછી છે. આ કાયદામાં સુધારો કરવા મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી રહી છે. 

 


Surat: ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થતા ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને, સીએમને પત્ર લખી જાણો શું કરી માગ

વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા

 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.

વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget