શોધખોળ કરો

Surat: ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થતા ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને, સીએમને પત્ર લખી જાણો શું કરી માગ

સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ લાલ આંખ કરી છે. અનેક સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવા મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ લાલ આંખ કરી છે. અનેક સેમ્પલ ફેલ થયા બાદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે. સેમ્પલ ફેલ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભેળસેળ અંગેના કાયદામાં સુધારો કરવા પણ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે. દુકાનદારો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. બનાવટી ચીજ વસ્તુઓના પ્રમાણમાં પણ વધારો થયો છે. હાલના કાયદામાં સજાની જોગવાઇ ખૂબ ઓછી છે. આ કાયદામાં સુધારો કરવા મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી રહી છે. 

 


Surat: ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થતા ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને, સીએમને પત્ર લખી જાણો શું કરી માગ

વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા

 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.

વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
Surat: બૉર્ડની પરીક્ષાનું પેપર ખરાબ જતા ધોરણ-12ના બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
Embed widget