શોધખોળ કરો

Navsari : 17 વર્ષિય વિદ્યાર્થિની સહિત 8 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ, ખેડામાં પણ 6 કેસ આવ્યા

નવસારી , ગણદેવી, ચીખલી તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. આઠ પૈકી ૧૭ વર્ષીય એક વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થઈ છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 3 ને પાર પહોંચી છે.

નવસારીઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે નવસારી જિલ્લામાં કોરોનાના સૌથી વધુ આઠ કેસ નોંધાયા છે. નવસારી , ગણદેવી, ચીખલી તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. આઠ પૈકી ૧૭ વર્ષીય એક વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થઈ છે. જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 3 ને પાર પહોંચી છે. બે દર્દીઓએ કોરોનાને માત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

ખેડા જિલ્લામાં આજે કોરોના ના 6 નવા કેસ નોંધાયા. 4 કેસ નડિયાદ શહેરમાં જયારે 1 કેસ માતર તાલુકાના ઉઢેરા ગામ અન્ય 1 કેસ અલીન્દ્રા ગામનો. નડિયાદ ના યોગીનગર આરોગ્ય વિભાગ ના 40 વર્ષીય કર્મચારી કોરોનાથી સંક્રમિત. યુકેથી આવેલ 65 વર્ષીય વૃદ્ધને કારોના થયો છે. નડિયાદના પીજ ભાગોળ વિસ્તાર , સંતરામ ડેરી રોડ વિસ્તાર , પંચાયત સદન વિસ્તારમાં કોરોનાના કેસ આવ્યા છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. 

છેલ્લા ઘણા દિવસથી કોરોનાની સારવાર લઇ રહેલા વૃદ્ધ કોરોના સામે હાર્યા જંગ, જાણો વિગત

નડિયાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે ફરી એકવાર મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. નડિયાદમાં કોરોનાથી એક ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવતા સારવાર લઈ રહ્યા હતા. 65 વર્ષીય કોરોના દર્દી નડિયાદના વતની હતા અને છેલ્લા ઘણા દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. 

૬૫ વર્ષીય વૃદ્ધની કોરોનાની સારવાર દરમિયાન તબિયત બગડતા બાય-પેપ પર રાખવામાં આવ્યા હતા. અંતે કોરોના સામે હેમાર માનતા નડિઆદ સિવિલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

કોરોનાના કેસો વધતાં શું ગુજરાતમાં વધુ નિયંત્રણો લાગશે? મુખ્ય સચિવે મનપા-જિલ્લા કલેક્ટરોની બોલાવી બેઠક

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે.  આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો કાળો કેરઃ બે દિવસમાં જ નોંધાયા 28 કેસ, જાણો ક્યાં ક્યાં કેટલા કેસ નોંધાયા?

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા બે જ દિવસમાં 28 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે 24 કેસો નોંધાયા પછી આજે બપોર સુધીમાં ઓમિક્રોનના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર અને સુરતમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

મહેસાણામાં જિલ્લામાં ઓમીક્રોન કોરોનાની એન્ટ્રી થઈ છે. પીલાજી ગંજ વિસ્તારમાં ઓમીક્રોન કેસ સામે આવ્યો છે. Omicron પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા હોવાનું સામે આવ્યુ છે. 5 દિવસ પહેલા જ આફ્રિકાથી યુવાન આવ્યો હતો. આરોગ્ય વિભાગે શંકાસ્પદ લાગતા હોસ્પિટલમાં આઇસિલેટ કર્યો હતો. આજે રિપોર્ટ આવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું આવ્યું સામે. મહેસાણા શહેર માં ઓમીક્રોન કેસ થી આરોગ્ય તંત્ર દોડતું થયું. અગાઉ 3 ઓમીક્રોન વિજાપુર તાલુકામાં નોંધાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે. સુરતમાં 32 વર્ષીય હીરા વેપારી ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ પણ ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. 

રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધારવતા હતા. 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. 

રાજ્યમાં બે દિવસમાં ઓમિક્રોનના 28 નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, અમરેલી 1, આણંદ, 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, સુરતમાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. જેમાંથી 17 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
ફરી એકવાર વેચાણમાં નંબર 1 બની Royal Enfieldની આ બાઈક, જાણો તેની કિંમત અને EMI કેક્યુલેશન
ફરી એકવાર વેચાણમાં નંબર 1 બની Royal Enfieldની આ બાઈક, જાણો તેની કિંમત અને EMI કેક્યુલેશન
શું દેશના તમામ હાઈવે પર ચાલશે ફાસ્ટેગનો વાર્ષિક પાસ? આ લોકોને નહીં મળે સુવિધા
શું દેશના તમામ હાઈવે પર ચાલશે ફાસ્ટેગનો વાર્ષિક પાસ? આ લોકોને નહીં મળે સુવિધા
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ,  ઈસ્કોન સંપ્રદાય, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ, ઈસ્કોન, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
Embed widget