શોધખોળ કરો

ગુજરાતમાં તોળાતો ઓમિક્રોનનો ખતરોઃ કયા જિલ્લામાં વિદેશથી આવેલી વ્યક્તિ પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું?

દેશથી આવેલા 34 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. કોરોન્ટાઇન થયેલા પૈકી એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે.  યુ.કે.થી આવેલા 50 વર્ષીય ડોકટર RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. 

નવસારીઃ ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાની એન્ટ્રી થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સતર્ક બન્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે.  કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો નવસારીમાં જિલ્લામાં છે. વિદેશથી આવેલા 34 લોકોને કોરોન્ટાઇન કરાયા છે. કોરોન્ટાઇન થયેલા પૈકી એક ડોક્ટર પોઝિટિવ આવ્યા છે.  યુ.કે.થી આવેલા 50 વર્ષીય ડોકટર RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. 

યુ.કે.થી 24 મી નવેમ્બરે નવસારી આવ્યા હતા. વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડોકટરના કોરોના વેરિયન્ટની તપાસ માટે  સેમ્પલને ગાંધીનગર મોકલાયું છે. આશરે 10 દિવસ બાદ વેરિયન્ટનો રિપોર્ટ આવશે. ડોકટરને ખાનગી હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાયા છે. 

ભારતમાં ઓમીક્રોનના કેસ નોંધાતા AMC સતર્ક બન્યું છે. શહેરમાં અલગ અલગ 30 ડોમ નવા શરૂ કરવામાં આવ્યા છે. એક જ ડોમમાં વેકસીન અને કોરોનાના ટેસ્ટિંગની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવી છે. શહેરમાં 5.5 લાખ નાગરિકોને વેકસીનનો બીજો ડોઝ બાકી છે.

 

વેકસીનનો ડોઝ લેતા નાગરિકોના પહેલા કોરોના ટેસ્ટ બાદ વેકસીન અપાઈ રહી છે. એક ઝોનમાં ચાર એમ સાત ઝોનમાં કુલ 30 ડોમ ઉભા કરવામાં આવ્યા છે. 

 

દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9 હજાર 216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 391 લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

 

અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 115 લોકોના મોત થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

 

અત્યાર સુધીમાં 125 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા


 

ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી

દેશમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટ જેણે બીજી લહેરમાં હજારો લોકોના જીવ લીધા, આ વાયરસ તેના કરતા અનેક ગણો વધુ ખતરનાક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે ભારતમાં ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. બંને ચેપગ્રસ્ત પુરુષો છે, જેમની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષ છે.

 

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કેરળ સરકારે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લીધા છે. અમે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરી રહ્યા છીએ. ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ અને 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. તે પછી તેમને ફરીથી RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

 

દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટર અશોક સેઠે જણાવ્યું કે ઓમિક્રોન વાયરસ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તેમાં ઘણા બધા મ્યુટેશન છે. જ્યારે વાયરસ તેના દેખાવમાં ફેરફાર કરે છે, ત્યારે તે વધુ જોખમી બની શકે છે. લોકોએ કોવિડના તમામ નિયમોનું પાલન કરવું પડશે. આપણો દેશ તેની સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget