શોધખોળ કરો

દિવાળી પર સુરતથી માદરે વતન જતા રત્ન કલાકારો આનંદો, ST દ્વારા સિંગલ ભાડું લેવામાં આવશે, જાણો કયા રૂટ પર કેટલું ભાડું થયું નક્કી

સિંગલ ભાડું લેવાનું મંત્રી આર.સી. ફળદુ અને મંત્રી કુમારભાઈ કાનાણીને સરકારમાં રજૂઆત કરી હતી. જે સ્વીકારી લેવામાં આવતા સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું તા.22.10.19 થી 27.10.19 ના મધ્ય રાત્રી સુધી સિંગલ ભાડું લેવામાં આવશે.

સુરતઃ ડાયમંડ નગરીના રત્ન કલાકારો માટે સારા સમાચાર છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના એસટી નિગમને રત્ન કલાકારો પાસેથી સિંગલ ભાડું લેવાની કરવામાં આવેલી રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે.

 હીરાઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે દિવાળી વેકેશનમાં વતન જવા માગતા રત્નકલાકારો પાસે એસટી દ્વારા એકતરફી જ ભાડુ લેવામાં આવે તેવી સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે. આગામી તા. 22 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તરફ જતી બસમાં મુસાફરી કરવા ઈચ્છતા રત્નકલાકારો પાસેથી સિંગલ ભાડુ લેવામાં આવશે. એસટી દ્વારા આ અંગેનો ભાડા સાથેનો રૂટચાર્ટ જાહેર કરાયો હતો. એસટી વિભાગ દ્વારા દર વખતે એકસ્ટ્રા બસોના ભાડામાં 25 ટકા વધારો લેવામાં આવે છે જે રદ કરાયો છે. જે મુજબ એસ.ટી. નિગમ દ્વારા  દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું રૂટ પ્રમાણેનું એક તરફી ભાડું લેવામાં આવશે.

સિંગલ ભાડું લેવાનું  મંત્રી આર.સી. ફળદુ  અને મંત્રી કુમારભાઈ કાનાણીને સરકારમાં રજૂઆત કરી હતી. જે સ્વીકારી લેવામાં આવતા સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું તા.22.10.19 થી 27.10.19 ના મધ્ય રાત્રી સુધી  સિંગલ ભાડું લેવામાં આવશે. જેના કારણે રત્નકલાકારો મંદીના સમયમાં ખૂબ જ સસ્તા દરે પોતાના માદરે વતન જઈ શકશે.

સુરત થી એસટી નિગમે જાહેર કરેલા રૂટચાર્ટ પ્રમાણે ભાડું

અમરેલી 250 રૂપિયા

ભાવનગર 215 રૂપિયા

બોટાદ 220 રૂપિયા

સાવરકુંડલા 265 રૂપિયા

તળાજા 240 રૂપિયા

રાજકોટ 240 રૂપિયા

મહુવા 255 રૂપિયા

ગારીયાધાર 240 રૂપિયા

ગઢળા 225 રૂપિયા

જૂનાગઢ 280 રૂપિયા

ધારી 280 રૂપિયા

અમદાવાદ 185 રૂપિયા

ડીસા 245 રૂપિયા

મહેસાણા 210

પાલનપુર 235 રૂપિયા

પાટણ 235 રૂપિયા

વિસનગર 215 રૂપિયા

બારીયા 210 રૂપિયા

દાહોદ 200 રૂપિયા

ઝાલોદ 205 રૂપિયા

છોટાઉદેપુર 165 રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget