શોધખોળ કરો
Advertisement
Surat : કોર્પોરેશનમાં AAPના ભવ્ય દેખાવ પછી પહેલી જ સિક્સર, AAPએ શું કરી મોટી જાહેરાત?
સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોરઠીયાએ જીત પછી મોટી જાહેરાત કરીને પહેલી સિક્સર લગાવી દીધી છે.
સુરતઃ સુરતમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને 27 ઉમેદવારોની જીત થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 6 પેનલો કબ્જે કરી છે. જ્યારે બે ભાજપની પેનલો તોડી નાંખી છે. ત્યારે સુરતમાં આપની ભવ્ય જીત માટેનો શ્રેય મનોજ સોરઠીયાને આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોરઠીયાએ જીત પછી મોટી જાહેરાત કરીને પહેલી સિક્સર લગાવી દીધી છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયની અંદર એક હેલ્પલાઇન નંબર (જનસુવિધા નંબર) ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ. આ નંબર પર આવનાર તમામ એસએમસીને લગતી ફરિયાદોને લઈને આમ આદમી પાર્ટી લડશે. લોકોને સુવિધા પૂરી પાડવાની કોશિશ કરશે. આજ દિવસ સુધી કોંગ્રેસ જે ભ્રષ્ટાચાર સહન કરતી હતી અને બેફામ ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવતો હતો. અમે ગેરન્ટી આપીએ છીએ કે અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર એસએમસીના વહિવટમાં નહીં કરવા દઈએ.
મનોજ સોરઠીયા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી છે. સુરતમાં ભવ્ય જીત પછી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. અહીં સ્ટેજ પર હાજર આપના કાર્યકરોએ જીત અપાવનાર મનોજ સોરઠીયાને ઉંચકી લીધા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દુનિયા
ગુજરાત
Advertisement