શોધખોળ કરો

Surat: અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર એક્શનમાં, ફાયર સેફ્ટી વિનાની 400થી વધુ દુકાનોને સીલ કરાઇ

Surat Crime News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે. હાઇકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા

Surat Crime News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા થયા છે. હાઇકોર્ટે પણ એક સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યમાં કેટલાય સ્થળો એવા છે જેમાં સરકારની કોઇપણ જાતની મંજૂરી, ફાયર સેફ્ટી કે એનઓસી નથી. જોકે, હવે રાજ્ય સરકારે એક્શન લેવું શરૂ કર્યુ છે. આજે સુરતમાં તંત્ર એક્શનમાં આવ્યુ અને શહેરની 400થી વધુ દુકાનોને સીલ કરી દીધી.

માહિતી પ્રમાણે, રાજકોટમાં 28 લોકોના જીવ ગુમાવવાની કરુણ ઘટના બાદ સુરત મહાનગર પાલિકા તંત્ર એક્શનમાં આવ્યુ છે. સુરત મનપા અગ્નિકાંડ બાદ સતત બીજા દિવસે પોતાની કામગીરી યથાવત રાખી હતી, સુરતની રાધે ટેક્સટાઈલ માર્કેટની ફાયર સેફ્ટી અને અન્ય ઓનએસી વિનાની કુલ 411 દુકાન સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા શહેરમાં ગેલેક્સી ઈકૉન માર્કેટની 23 મોટી દુકાનને સીલ કરાઇ છે. વરાછા ઝૉન Bમાં ટર્નિંગ પૉઈન્ટ કૉમર્શિયલ કૉમ્પલેક્ષની 57 દુકાન સીલ કરાઇ છે. કતારગામમાં જીમને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયુ છે. સહારા દરવાજા બેગમપુરામાં શ્રી ઓમ ટેક્સટાઈલની 111 દુકાન સીલ કરાઇ છે. મોટી બેગમવાડી ખાતે હીરાપન્ના માર્કેટની 97 દુકાન સીલ કરાઇ છે. બેગમપુરાના બૉડી બેલેન્સ જીમ મંજૂરી વગર ચાલતું હોવાથી સીલ કરાયુ છે. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ ચાર ટ્યૂશન ક્લાસિસ સીલ કરાયા છે. 

ગઇકાલે સુરતમાં 140 દુકાનો સીલ કરાઇ હતી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ , ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટ માં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે. કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે. ફાયર સેફ્ટીનાં અભાવે સીલ મારવામાં આવી છે. દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી છતા ફાયર સેફ્ટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકાર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. કાપડનાં ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના અભાવે કામગીરી કરાઈ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget