શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત : ONGC બ્રિજ પર ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડ્યો, જાણો વિગત
પોલીસે યુવકની લાશ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
![સુરત : ONGC બ્રિજ પર ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડ્યો, જાણો વિગત Surat: man death at trailer accident at ongc bridge in city check details સુરત : ONGC બ્રિજ પર ટ્રેલર ચાલકે બાઇક સવારને કચડ્યો, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09021650/surat-accident.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના ઓએનજીસીબ બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. ટ્રેલર ચાલકે બાઇક સવારને અડફેટે લઇ કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત થતાં જ બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં ઇચ્છાપોર પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે યુવકની લાશ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નેશનલ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ 2019માં રાજ્યમાં 6,711 અકસ્માતની ઘટના સામે આવી હતી અને તમામ ઘટનાઓમાં 8,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, ત્યારબાદ સુરતનો નંબર આવે છે. વર્ષ 2019માં અમદાવાદમાં 421 અકસ્માતની ઘટનામાં 442 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સુરતમાં 290 અકસ્માતની ઘટનામાં 301 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગુજરાતમાં સુરત, અમદાવાદ, અને સૌરાષ્ટ્રના શહેરોમાં સૌથી વધારે અકસ્માતની ઘટના બને છે અને રાજ્યમાં દરરોજ 18 અકસ્માત થાય છે અને 22 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. મોટાભાગના અકસ્માત વાહન ચાલકની બેદરકારીના કારણે થતા હોવાનું સામે આવી રહ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)