શોધખોળ કરો

Bogus Doctor: સુરત SOGની મોટી કાર્યવાહી, 17 બોગસ તબીબો ઝડપાયા

Latest Surat News: સુરત શહેરના સલ્મ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોકટરો સામે SOGએ લાલ આંખ કરી છે.

Surat News: સુરત એસઓજી પોલીસ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ બોલાવવામાં આવી હતી. સુરતના પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી 17 કરતાં વધુ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હત. કમ્પાઉન્ડર અને અલગ અલગ નકલી ડીગ્રીઓ સાથે આ તમામ લોકો પ્રેક્ટિસ કરતા હતા. 17 તબીબીને ત્યાંથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલના સામાન પણ મળી આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાંથી 9 જ્યારે ડીંડોલી વિસ્તારમાંથી 8 જેટલા બોગસ બીબો ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી છે. શહેરના સલ્મ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોકટરો સામે SOGએ લાલ આંખ કરી છે. SOG દ્વારા આરોગ્ય ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

મંગળવારે રાજકોટના ફાડદંગ ગામે SOGએ દરોડો પાડીને બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો. આઠમું ધોરણ પાસ આ ઈસમ કમ્પાઉન્ડરના અનુભવના આધારે છેલ્લા 7 વર્ષથી સારવાર કરી બીમાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. હાલ તો SOGની ટીમે તબીબ પાસેથી મેડિકલ પ્રેક્ટિસની દવાઓ અને સાધનો સહિત રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના ફાળદંગ ગામે એક શખ્સ છેલ્લા ઘણાં વખતથી નકલી ડૉક્ટર બનીને ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામના લોકોને દવા આપીને સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOG PI જે.એમ.કૈલા અને તેમની ટીમે ફાળદંગ ગામે વલ્લભભાઈ રામાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી હર્ષદ ઉર્ફે કાના ચોટલીયા 34ની ધરપકડ કરી હતી. હર્ષદ પાસે મેડિકલની કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટીફિકેટ ના હોવા છતાં તે ડૉક્ટર બની બેઠો હતો. જેની પાસે ફાળદંગ ઉપરાંત આસપાસના અન્ય ગામના બીમાર લોકો સારવાર લેવા પણ જતા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, હર્ષદ ચોટલીયા માત્ર 8 ધોરણ પાસ છે અને કમ્પાઉન્ડ તરીકેનો અનુભવ હોવાથી તેને દવાઓ અંગેની પ્રાથમિક જાણકારી હતી. જેના આધારે તે છેલ્લા સાતેક વર્ષથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. SOGએ મકાનમાંથી દવાઓનો જથ્થો અને મેડિકલના સાધનો સહિત 10 હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget