શોધખોળ કરો
Advertisement
સુરતમાં બકરી ઇદ નિમિત્તે પોલીસ કમિશ્નરે શું કર્યું મોટું ફરમાન? જાણો વિગત
સુરત પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. બકરી ઈદના દિવસે કુરબાની પર પ્રતિબંધ લગાવાયો છે.
સુરતઃ ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ નહીં, તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. હવે પહેલી ઓગસ્ટે બકરી ઇદ આવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. બકરી ઈદના દિવસે કુરબાની પર પ્રતિબંધ લગાવાયો છે.
સુરત શહેરની જાહેર જગ્યામાં, ખાનગી જગ્યામાં, શેરીઓમાં, મહોલ્લામાં પશુની કતલ પર પ્રતિબંધ લગાવાયો છે. સહેલાઈથી દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બકરી ઈદના દિવસે કોઈપણ પશુને શણગારી જાહેર રોડ પર લાવવાની મનાઈ છે. તેમજ સરઘસ કાઢવા પર મનાઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement