શોધખોળ કરો
સુરતમાં બકરી ઇદ નિમિત્તે પોલીસ કમિશ્નરે શું કર્યું મોટું ફરમાન? જાણો વિગત
સુરત પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. બકરી ઈદના દિવસે કુરબાની પર પ્રતિબંધ લગાવાયો છે.

સુરતઃ ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ નહીં, તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. હવે પહેલી ઓગસ્ટે બકરી ઇદ આવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. બકરી ઈદના દિવસે કુરબાની પર પ્રતિબંધ લગાવાયો છે.
સુરત શહેરની જાહેર જગ્યામાં, ખાનગી જગ્યામાં, શેરીઓમાં, મહોલ્લામાં પશુની કતલ પર પ્રતિબંધ લગાવાયો છે. સહેલાઈથી દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બકરી ઈદના દિવસે કોઈપણ પશુને શણગારી જાહેર રોડ પર લાવવાની મનાઈ છે. તેમજ સરઘસ કાઢવા પર મનાઈ છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
દેશ
દેશ
Advertisement