શોધખોળ કરો

Amit Shah Birthday: ગૃહમંત્રી અમિત શાહને કેમ કહેવાય છે ભાજપના ચાણક્ય, આ છે કારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (22 ઓક્ટોબર) પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો જાણીએ તેમને ચાણક્ય કેમ કહેવામાં આવે છે.

Amit Shah Birthday:ભારતીય રાજનીતિની જાણકારી ધરાવનાર વ્યક્તિ ચોક્કસપણે ગૃહમંત્રી અમિત શાહ વિશે જાણતા હશે. અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. રાજનીતિની બારીકી સમજતા અને સરકાર બનાવવામાં નિપુણતા ધરાવતા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. પોતાના બળ પર તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.

અમિત શાહે આજે 59 વર્ષના થયા છે. તેમનો જન્મ આ દિવસે (22 ઓક્ટોબર) વર્ષ 1964માં મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને બમ્પર જીત મળી હતી.   જીત પાછળ  અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યાં છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ?

અમિત શાહની રાજકીય સફરની શરૂઆતનું કારણ તેમનો પરિવાર હતો, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલો હતો. તેઓ તેમના કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય બન્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમને ઘણી સફળતા મળી. તેમને સૌથી મોટી સિદ્ધિ 2002માં મળી, જ્યારે તેમને ગુજરાતના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા.

તેમની ક્ષમતા જોઈને ભાજપે તેમને 2014માં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. તેમના નેતૃત્વમાં, પાર્ટીને ચૂંટણીમાં જંગી જીત મળી અને ભાજપ 10 વર્ષ પછી સત્તામાં વાપસી કરી. અમિત શાહ લાંબા સમય સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યા, ત્યારબાદ ભાજપની કમાન જેપી નડ્ડાને સોંપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સરકાર બીજી વખત બની ત્યારે અમિત શાહને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા.

અમિત શાહને ચાણક્ય કેમ કહેવામાં આવે છે?

 અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે કારણ કે તેઓ સંગઠનને સમજવાની ક્ષમતા ધરાવે છે અને પાયાના સ્તરે વ્યૂહરચના બનાવવાની કુશળતા ધરાવે છે. તેણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેની રજૂઆત કરી હતી, જ્યારે ભાજપે બમ્પર બેઠકો જીતીને સરકાર બનાવી હતી. ભાજપે એવા રાજ્યોમાં સરકારો બનાવી જ્યાં તે લાંબા સમયથી સત્તામાં ન હતી. જેમ કે ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર. આ સિવાય તેમણે નોર્થ-ઈસ્ટમાં પણ ભાજપનો ગઢ મજબૂત કર્યો છે.

અમિત શાહે એવા સંજોગોમાં ભાજપની સરકાર બનાવી છે, જ્યારે તેમની પાર્ટીની સરકાર બનાવવાની કોઈ શક્યતા ન હતી. પોતાને ચાણક્ય કહેવા પર તેણે કહ્યું છે કે, “ મેં ક્યારેય ચાણક્ય હોવાનો દાવો કર્યો નથી. હું એ  ક્યારેય નહિ બની શકું, જો કે, મેં તેમના વિશે સારી રીતે વાંચ્યું અને સમજ્યું છે. મારી પાસે મારા રૂમમાં તેનો ફોટો પણ છે તેમ છતાં હું ચાણક્યની સામે બહુ નાનો માણસ છું”

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget