![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kisan Samman Nidhi: PM કિશાન સમ્માન યોજના હેઠળ,ખેડૂતોના ખાતામાં જમા થયો ત્રીજો હપ્તો,આ રીતે કરો ચેક, પૈસા આવ્યા કે નહિ
Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે યવતમાલમાં એક કાર્યક્રમ દરમિયાન કિસાન સન્માન નિધિ મોકલવાની જાહેરાત કરી હતી.
![PM Kisan Samman Nidhi: PM કિશાન સમ્માન યોજના હેઠળ,ખેડૂતોના ખાતામાં જમા થયો ત્રીજો હપ્તો,આ રીતે કરો ચેક, પૈસા આવ્યા કે નહિ Under PM Kisan Samman Yojana the third installment has been deposited in the farmers account, here is how to check whether the money has arrived or not PM Kisan Samman Nidhi: PM કિશાન સમ્માન યોજના હેઠળ,ખેડૂતોના ખાતામાં જમા થયો ત્રીજો હપ્તો,આ રીતે કરો ચેક, પૈસા આવ્યા કે નહિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/406230a1311e18e10ab8691b4777edeb170912819196881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ખેડૂતો માટે સન્માન નિધિની જાહેરાત કરી છે. આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવશે. તેમણે યવતમાલમાં એક કાર્યક્રમ દરમિયાન 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં 11.8 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ લાભ મળ્યો છે. આ યોજના દ્વારા 2.81 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાનો લાભ આપ્યો. આ ઉપરાંત તેમણે ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી.
છેલ્લો એક દશક ભારત માટે સુવર્ણકાળ
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર રહ્યા હતા. ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને યુવાનો માટે વિવિધ યોજનાઓ પર કામ કરવા બદલ બધાએ પીએમ મોદીનો આભાર માન્યો. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, છેલ્લો દાયકા ભારત માટે સુવર્ણકાળ રહ્યો છે.
જો ઈ-કેવાયસી નથી કરી તો લાભથી રહેશો વંચિત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આજે PM ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જો કે, જે ખેડૂતોએ હજુ સુધી EKYC કરાવ્યું નથી. ઉપરાંત, જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારા નામ, પિતાનું નામ, બેંક ખાતાની વિગતો અથવા અન્ય કોઈ ભૂલ કરી હશે તો તમે આ યોજનાના લાભોથી વંચિત રહી જશો. ખેડૂતો નીચે દર્શાવેલ પદ્ધતિઓ દ્વારા ચેક કરી શકશે કે તેમના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.
આ રીતે ચેક કરો પૈસા આવ્યા કે નહિ
- પૈસા આવ્યા છે કે નહીં તે કેવી રીતે તપાસવું
- સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
- આ પછી, હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો અને તમારો નોંધણી નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- પછી કેપ્ચા ભરો અને 'ગેટ સ્ટેટસ' પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર પે થયું છે કે નહિ તેનું સ્ટેટસ દેખાશે.
- પીએમ કિસાન મોબાઈલ એપની મદદ લો
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
- આ પછી તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર દાખલ કરો.
- હવે OTP દાખલ કરો અને 'લોગિન' પર ક્લિક કરો.
- પછી ' Beneficiary Status' પર ક્લિક કરો.
- આ પછી તમારા પેમેન્ટનું સ્ટેટસ તમારી સ્ક્રીન પર દેખાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)