![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara : સ્ટુડી રૂમમાં ટ્વીન્સે એક સાથે પંખે ખાધો ગળેફાંસો, એકનું મોત
ગળે ફાંસો ખાતા એક ભાઈનું મોત નીપજ્યું, બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં બંને જોડિયા ભાઈઓ રહે છે.
![Vadodara : સ્ટુડી રૂમમાં ટ્વીન્સે એક સાથે પંખે ખાધો ગળેફાંસો, એકનું મોત A twins try to committed suicide in Vadodara, one died Vadodara : સ્ટુડી રૂમમાં ટ્વીન્સે એક સાથે પંખે ખાધો ગળેફાંસો, એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/28/7cd527b840d00afd4a9f979fd2466c77_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગળે ફાંસો ખાતા એક ભાઈનું મોત નીપજ્યું, બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં બંને જોડિયા ભાઈઓ રહે છે.
પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળેફાંસો ખાધો હતો. બંને જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. પરીક્ષાના ડરે આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. બંને જોડિયા ભાઈઓના માતા-પિતા શિક્ષક શિક્ષિકા છે. લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં યોજાઇ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો છે.
લીલી સાજડિયાણી ગામમાં યુવાને આપઘાત કરી લેતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિકુંજ મકવાણા નામના યુવકે આપઘાત કર્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં દોડમાં નાપાસ થતા યુવકે આપઘાત કર્યો હતો. ગઇ કાલે ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન મોત થયું છે.
ઓગણજઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દારુબંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરસ મજાની આહ્લાદક ઠંડીમાં જમવાની વ્યવસ્થા કરી છે, પરંતુ બીજું તો કંઈ જ થઈ નહીં શકે. તેમના આ નિવેદનથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ ંહતું કે, અહીં પાબંદી છે એટલે. યુગ પરિવર્તનની સાથે કદાચ ગુજરાતની પ્રજા જ્યારે આવું કંઇ ઇચ્છશે ત્યારે ગુજરાતની પ્રજાને એવો મોકો પણ મળશે, તે ભવિષ્યની માન્યતા મને લાગે છે.
ભરતસિંહ કહ્યું કે, પરિવર્તનની સાથે ગુજરાતની પ્રજા જો ઇચ્છશે તો આવો મોકો મળશે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદે રીતે જોઇએ તેટલો દારૂ મળે છે. સ્વાભાવિક રીતે લોકચર્ચામાં વાત છે. સરકારના ઓથા નીચે જ એમના મળતિયા અને બુટલેગરો દારૂ વેચે છે અને આર્થિક લાભ મેળવે છે. આ પૈસા સરકારમાં જમા થાય તો સરકારને ટેક્સની આવક થાય.
ભરતસિં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરતાં કહ્યું કે, તેઓ કહેતા કે ધનાઢ્ય લોકો દારૂ પીવે તો ચાલે પરંતુ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે સાત કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)