શોધખોળ કરો

Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે.

Amarnath Yatra: છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રામાં ગયેલા યાત્રાળુઓ અટવાઇ ગયા છે, હાલમાં અમરનાથ યાત્રાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને કેમ્પમાં રોકાવવા માટે કહેવામાં આવ્યુ છે. આ બધાની વચ્ચે અપડેટ મળી રહ્યુ છે કે, ગુજરાતના 50થી વધુ યાત્રીઓ અમરનાથ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે. 


Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

મળતી માહિતી પ્રમાણે, અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરાના 50 અને સુરતના 10 અમરનાથ યાત્રાળુઓ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે, આ તમામ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ પણ કરી છે. હાલમાં અમરનાથ યાત્રાના રૂટ પર ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હવામાન પણ ખરાબ થઇ ગયુ છે. અટવાઇ ગયેલા યાત્રાળુઓ પાસે પહેરવા માટેના ગરમ કપડાં પણ પલળી ગયા છે, અને કેટલાક લોકો બિમાર પણ પડી રહ્યાં છે. એક માહિતી પ્રમાણે કેટલાક ગુજરાતીઓ અમરનાથ યાત્રા દરમિયાન અમરનાથના પંચતરમાં ફસાયા છે. તો વળી, વડોદરા કારેલીબાગના યાત્રાળુઓને ત્યાં વડોદરાના ટ્રસ્ટ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 


Amarnath Yatra: અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા, રાજ્ય સરકારને કરી અપીલ

કેમ્પોમાં રોકવામાં આવ્યા યાત્રીઓને - 
અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, "યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી." તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા સવારે લગભગ 4.45 વાગ્યે જમ્મુના બેઝ કેમ્પથી 7,000થી વધુ શ્રદ્ધાળુઓનો નવો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ 247 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી ખીણ તરફ આગળ વધ્યા હતા.

કુલ આટલા લોકો કરી ચૂક્યા છે યાત્રા - 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4,600 યાત્રાળુઓને લઈને 153 વાહનોનો કાફલો પહેલગામ જઈ રહ્યો હતો, જ્યારે 2,410 શ્રદ્ધાળુઓને લઈને 94 વાહનોનો બીજો કાફલો સવારે 4.45 વાગ્યે બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. આ વર્ષે 30 જૂને અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી જમ્મુ બેઝ કેમ્પથી કુલ 43,833 શ્રદ્ધાળુઓ ખીણ તરફ રવાના થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓની સંખ્યા 84,000ને વટાવી ગઈ છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, જખૌ નજીક 11 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Embed widget