શોધખોળ કરો

Dahod : ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બેના મોત, કારના નીકળી ગયા ફૂરચે-ફૂરચા

ગઈ કાલે પંચેલા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 31 વર્ષીય પુરુષ તેમજ 68 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

દાહોદઃ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. રાજકોટથી રાણાપુર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ગઈ કાલે પંચેલા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 31 વર્ષીય પુરુષ તેમજ 68 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાસકાંઠામાં દિયોદરના સુરાણા પાસે અકસ્માતની ઘટના પણ બની છે. કૂતરો વચ્ચે આવતાં ગાડી પલટી મારી ગઈ હતી.  દિયોદરની 60 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ડ્રાઈવરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. મૃતકના પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

અમદાવાદ લીંબડી હાઇવે પર ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બગોદરા નદી પરના ગોગાપુલ પાસે ખાનગી લકઝરી બસ અને ડમ્પરનો અકસ્માત થયો હતો. જામનગરથી સુરત જઇ રહેલી ખાનગી લક્ઝરી બસ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છ વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી છે. ૧૦૮ વાન બગોદરા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતા બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. 

સુરતમાં ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ જિન સામે અકસ્માત  સર્જાયો હતો. બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત  સર્જાયો હતો. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  પલસાણા તાલુકાના ચલથાણ નજીક હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. મુંબઈથી અમદાવાદ હાઇવે ટ્રેક પર કન્ટેનર પલટી ગયું હતું. કન્ટેનર પલટી જતા અકસ્માતમાં બે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. કરણ ગામ નજીક રોડ પર ખાડાને લઈ અકસ્માત થયો.

ભરૂચઃ  અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બાઈક સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

અન્ય એક અકસ્માતમાં, ભરૂચથી જંબુસર જતા માર્ગ  પર  થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Vadodara Mayor: વડોદરાના મેયર બન્યા ગીતા મકવાણા, ડે.મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
Vadodara News: 'ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે', વડોદરાના સાંસદની ચેતવણી 
Vadodara News: 'ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે', વડોદરાના સાંસદની ચેતવણી 
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Embed widget