શોધખોળ કરો

Heart Attack: વડોદરાના ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Vadodara News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે.

Vadodara News: ગરમી વધવાની સાથે રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા પણ વધી રહ્યા છે. વડોદરાના ડભોઈમાં હાર્ટએટેકથી મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે. ડભોઇમાં 38 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જૈન વાગામાં રહેતા જતીન જૈન નામના યુવાનને ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવા થયા બાદ મોત થયું હતું. મૃતક યુવાનના શરીરમાં કોઈપણ જાતની બીમારી નહોતી. યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

થોડા દિવસ પહેલા  મોરબીના ટંકારાના વાધગઢ ગામે પુરુષ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યો  જ નહોતો, જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા (ઉ.૪૫) રાત્રીના સુતા હતા. બાદ સવારમાં ઉઠ્યા નહોતા, નહ જેથી પરિવારજનો દ્વારા ઉઠાડવામાં જતા ઉઠ્યા નહોતા. જેથી સરકારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર થયું હતું.

જીવનશૈલી અને ખાવાની ટેવ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે. હાર્ટ એટેક જેવા ઘણા રોગો ખતરનાક અને જીવલેણ હોય છે. આનાથી બચવા માટે, સૌથી મહત્વની બાબત એ છે કે દિનચર્યામાં સુધારો કરવો અને શરૂઆતમાં જ તેમને ઓળખવામાં સક્ષમ થવું. આવી સ્થિતિમાં, જો પરિવારમાં કોઈને 5 પ્રકારના લક્ષણો દેખાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે આ બધા હૃદય રોગના એલર્ટ સંકેતો હોઈ શકે છે.

હૃદય રોગના 5 ચેતવણી ચિહ્નો

  • વારંવાર મૂર્છા: જો કોઈ વ્યક્તિ વારંવાર બેહોશ થઈ રહી હોય તો તેને અવગણવું ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે આ હૃદય રોગની નિશાની હોય પણ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.
  • ચક્કર: ચક્કર આવવું ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તે વારંવાર અથવા લાંબા સમય સુધી થઈ રહ્યું હોય, તો તે હૃદય સંબંધિત કોઈ બિમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તેની અવગણના કરવાનું ટાળવું જોઈએ. જો કોઈને આવા લક્ષણો દેખાય તો તેણે ડૉક્ટર પાસે દોડવું જોઈએ.
  • ગભરામણ થવી: ગભરાટ અનુભવવો એ પણ હ્રદય સંબંધિત કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. ઘણી વખત, જ્યારે હૃદયની તબિયત બગડે છે, ત્યારે વ્યક્તિ વારંવાર નર્વસ અનુભવે છે. જ્યારે આવું થાય, ત્યારે તમારે તેને ક્યારેય અવગણવું જોઈએ નહીં. તમારે એકવાર ડૉક્ટરને મળવું જોઈએ.
  • અતિશય પરસેવો: કેટલીકવાર, હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે, કેટલાક લોકોને ખૂબ પરસેવો થાય છે. જો આવું થાય તો તમારે એલર્ટ થવું જોઈએ. જો કે, એવું જરૂરી નથી કે આ હૃદય સંબંધિત સમસ્યા હોય.
  • હૃદયના ધબકારા વધી જવા: હૃદય સંબંધિત કોઈપણ સમસ્યાને કારણે હૃદયના ધબકારા વધી શકે છે. આને ક્યારેય અવગણવું જોઈએ નહીં. જો હૃદય યોગ્ય રીતે કામ ન કરતું હોય તો હૃદયના ધબકારા વધી શકે છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget