શોધખોળ કરો

Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1935માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં 60 વર્ષીય અનુયાયી અને મંદિરમાં આરતી ઉતારનાર દિનેશ મકવાણાનું ધક્કો વાગીને પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજતા મૃતકના પરિવાર અને મંદિરની કમિટીના સભ્યોએ રોષ પ્રકટ કર્યો હતો.

સમગ્ર વિવાદ જોવા જોઈએ તો છાણી સ્થિત સર્વે નંબર 153ની શીટ નંબર 8ની આ મંદિરની જમીન તેજા ભગતના નામે હતી. જેતે સમયે અહીં મંદિર બનાવવા માટે તેઓએ જમીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી. જે લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના તાબામાં હોવાની અરજી નાયબ કલેકટરને કરી હતી જેમાં 2018 માં નાયબ કલેકટરે આ મંદિરનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીને સોંપવાનો હુકમ કર્યો હતો.ત્યારથી જ સામે પક્ષે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વિવાદ શરૂ થયો હતો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

જેમાં ગત વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રીરંગ સ્વામી અને અન્ય સ્વામીઓને મોકલ્યા હતા જ્યાં સ્વામિનારાયણ ટ્રસ્ટના દિનેશ પરમાર,દિનેશ મિસ્ત્રી સહિતના સભ્યોએ સંતોની તાળાબંધી કરી દેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં આજ રોજ અગિયારસ હોવાથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના અનુયાયીઓ આરતી કરવા જતાં અન્ય જૂથ ત્યાં પહોંચ્યું હતું અને બીજી આરતી કરવાની વાત કરતા મામલો બીચકયો હતો અને ધક્કો વાગતા પટકાઈ જતા દિનેશભાઈનું મોત થયું હતું. જેઓ રોજ આરતી કરતા હતા.જેને લઈને છાણી પોલીસ મથકનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. મામલો ગંભીર થતા એસીપી ધર્મેન્દ્ર ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget