શોધખોળ કરો

Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.

વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1935માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં 60 વર્ષીય અનુયાયી અને મંદિરમાં આરતી ઉતારનાર દિનેશ મકવાણાનું ધક્કો વાગીને પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજતા મૃતકના પરિવાર અને મંદિરની કમિટીના સભ્યોએ રોષ પ્રકટ કર્યો હતો.

સમગ્ર વિવાદ જોવા જોઈએ તો છાણી સ્થિત સર્વે નંબર 153ની શીટ નંબર 8ની આ મંદિરની જમીન તેજા ભગતના નામે હતી. જેતે સમયે અહીં મંદિર બનાવવા માટે તેઓએ જમીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી. જે લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના તાબામાં હોવાની અરજી નાયબ કલેકટરને કરી હતી જેમાં 2018 માં નાયબ કલેકટરે આ મંદિરનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીને સોંપવાનો હુકમ કર્યો હતો.ત્યારથી જ સામે પક્ષે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વિવાદ શરૂ થયો હતો.


Vadodara: રાજ્યનું આ સ્વામિનારણ મંદિર ફરી આવ્યું વિવાદમાં,આરતીને લઈને થયેલા વિવાદમાં એક ભક્તનું જમીન પર પટકાતા મોત

જેમાં ગત વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રીરંગ સ્વામી અને અન્ય સ્વામીઓને મોકલ્યા હતા જ્યાં સ્વામિનારાયણ ટ્રસ્ટના દિનેશ પરમાર,દિનેશ મિસ્ત્રી સહિતના સભ્યોએ સંતોની તાળાબંધી કરી દેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં આજ રોજ અગિયારસ હોવાથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના અનુયાયીઓ આરતી કરવા જતાં અન્ય જૂથ ત્યાં પહોંચ્યું હતું અને બીજી આરતી કરવાની વાત કરતા મામલો બીચકયો હતો અને ધક્કો વાગતા પટકાઈ જતા દિનેશભાઈનું મોત થયું હતું. જેઓ રોજ આરતી કરતા હતા.જેને લઈને છાણી પોલીસ મથકનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. મામલો ગંભીર થતા એસીપી ધર્મેન્દ્ર ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget